Truth of Bharat
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

નેપાળ બસ દુર્ધટનામાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

ગુજરાત, અમદાવાદ | ૨૫ ફેબ્રુઆરી ૨૦૨૬ — થોડા સમય પહેલાં નેપાળમાં એક બસ દુર્ધટનાનો ભોગ બની હતી. પ્રાપ્ત અખબારી યાદી મુજબ નેપાળમાં પોખરાથી કાઠમાંડુ તરફ જઈ રહેલી બસમાં ૪૪ યાત્રીઓ સવાર હતા. અચાનક જ આ બસના ચાલકે કાબૂ ગુમાવતા બસ ૨૦૦ ફીટ ઉંડી ખીણમાં ખાબકી હતી અને જોતજોતામાં ૧૮ લોકોનાં કરુણ મોત નિપજયા હતા.

પૂજ્ય મોરારીબાપુએ આ ઘટનામાં માર્યા ગયેલાઓને શ્રધ્ધાંજલિ પાઠવી છે અને તેમના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા ૨,૭૦,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે જે નેપાળ સ્થિત રામકથાના શ્રોતા દ્વારા પહોંચાડવામાં આવશે. નેપાળ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમને સાથે રાખી આ સહાયતા રાશિ પહોંચાડવામાં આવશે. પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે અને તેમના પરિવારજનોને દિલસોજી પાઠવી છે.

Related posts

48 ટકા ભારતીય ગ્રાહકો CXમાં સહાનુભૂતિનો અભાવ હોવાનું જણાવે છે, જ્યારે ફક્ત 19 ટકા લીડર્સ AI સાથે તેને પહોંચી વળે છે

truthofbharat

ઈન્ડિયન ઓઈલ યુટીટી સિઝન 6નો 31 મેથી પ્રારંભ થશેઃ બ્લોકબસ્ટર ડબલ હેડરમાં પ્રથમ દિવસે ગોવાનો સામનો અમદાવાદથી અને દિલ્હીનો સામનો જયપુરથી થશે

truthofbharat

ફોર સીઝન ઇવેન્ટ એન્ડ એન્ટરટેનમેન્ટ,રિષભ જ્વેલર્સ, આર.એસ.ગ્રૂપ તેમજ સિદ્ધિવિનાયક ઇવેન્ટ અને હોલિડે દ્વારા અમદાવાદમાં એક સાથે ૪ જગ્યાઓ પર નવરાત્રિની રમઝટ બોલાવાશે

truthofbharat