Truth of Bharat
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

દાંડી યાત્રાની વર્ષગાંઠે મોરારી બાપુએ રાષ્ટ્રીય એકતા માટે અપીલ કરી

સોનગઢ, તાપી ૧૩ માર્ચ ૨૦૨૫: પ્રસિદ્ધ આધ્યાત્મિક ગુરુ અને રામકથા વાચક મોરારી બાપુએ તાપી જિલ્લાના સોનગઢ ખાતે ચાલી રહેલી તેમની રામકથા દરમિયાન 12 માર્ચના ઐતિહાસિક મહત્ત્વને ઉજાગર કર્યું. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની ઐતિહાસિક દાંડી યાત્રાની વર્ષગાંઠ નિમિત્તે, મોરારી બાપુએ ભારતની સ્વતંત્રતા માટે આપેલા અમાપ બલિદાનોને યાદ કર્યા અને રાષ્ટ્રીય એકતા માટે અપીલ કરી.

મોરારી બાપુએ જણાવ્યું કે, “જો આખો દેશ વહેંચાઈ ગયો હોત, તો બ્રિટિશ રાજ વિજયી થઈ ગયું હોત. તેથી જ મહાત્મા ગાંધીએ 12 માર્ચે દાંડી યાત્રા શરૂ કરી. તેમણે સંકલ્પ કર્યો કે ભલે પ્રાણ જાય, પણ સ્વતંત્રતા મેળવ્યા વિના પાછા ફરશું નહીં. અને જ્યારે નિર્ણાયક ક્ષણ આવી, ત્યારે ગાંધીજીએ દેશને સ્વતંત્રતા અપાવી.”

બ્રિટિશ સરકાર દ્વારા લગાવવામાં આવેલ લણતર કરનો વિરોધ કરવા, મહાત્મા ગાંધીએ 12 માર્ચ 1930 ના રોજ સાબરમતી આશ્રમથી દાંડી યાત્રાની શરૂઆત કરી હતી. આ ઐતિહાસિક યાત્રા 6 એપ્રિલે નવસારી જિલ્લાના દાંડી ગામે પૂર્ણ થઈ હતી.

આ ઐતિહાસિક ઘટના માટે મોરારી બાપુએ ઉલ્લેખ કર્યો કે, “આજે 12 માર્ચ છે, જે દિવસે દાંડી યાત્રાની શરૂઆત થઈ હતી. જ્યારે આવા મહાન પુરૂષોએ આપણું માર્ગદર્શન કરી દીધું છે, તો પછી આપણું શું અશક્ય છે?”
સોનગઢ ખાતે ચાલી રહેલી આ રામકથા મોરારી બાપુની 953મી રામકથા છે. દેશ અને વિદેશથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આ રામકથા મા ભાગ લઈ રહ્યા છે.

Related posts

અમદાવાદમાં ઇશારાના ૧૫ દિવસિય અનડિવાઇડેડ પંજાબ મેનુમાં ખોવાયેલા સ્વાદનો આનંદ માણો

truthofbharat

સેમસંગ દ્વારા ભારતમાં ગેલેક્સી વેરેબલ્સની રેન્જ પર આકર્ષક ફેસ્ટિવ ડીલ્સની ઘોષણા કરાઈ

truthofbharat

ડીસામાં ફેક્ટરી દુર્ઘટનામાં, જમ્મુમાં તેમજ અન્યત્ર અકસ્માતમાં મૃત્યુ પામેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

truthofbharat