Truth of Bharat
ગુજરાતબિઝનેસમોટરસાઇકલરાષ્ટ્રીયહેડલાઇન

મોટો મોરિની સીમમેઝો 650 રેન્જ – હવે રૂ.4.99 લાખથી શરૂ! MY-2025 મોડેલ્સની કિંમતમાં રૂ.2 લાખની કિંમતનો ઘટાડો!

આદિશ્વર ઓટો રાઇડ ઇન્ડિયા એ ઇટાલિયન પર્ફોમન્સને અદ્વિતીય મૂલ્યની સાથે વધુ સુલભ બનાવ્યું


હૈદરાબાદ 20 ફેબ્રુઆરી 2025: આદિશ્વર ઓટો રાઇડ ઇન્ડિયા (AARI) એ ભારતમાં મોટો મોરિની (MM) સેઇમેમેઝો 650 લાઇન-અપ માટે નોંધપાત્ર કિંમત સુધારણાની જાહેરાત કરી છે, જેનાથી પ્રીમિયમ ઇટાલિયન મોટરસાઇકલ ઉત્સાહી લોકો માટે વધુ સુલભ થઇ ગઇ છે. આ વ્યૂહાત્મક પગલું મોટો વોલ્ટ અને મોટો મોરિની માટેના AARIના 2025ના વિઝન સાથે સુસંગત છે, જે ભારતીય બજારમાં બ્રાન્ડની પહોંચ અને આકર્ષણને વિસ્તૃત કરવાની તેની પ્રતિબદ્ધતાને મજબૂત બનાવે છે.

આ પહેલના ભાગ રૂપે AARI એ MY-2025 સીમમેઝો 650 સ્ક્રેમ્બલર અને રેટ્રો સ્ટ્રીટ મોડેલ્સને નવી કિંમતે રજૂ કર્યા છે, જે ઇટાલિયન ડિઝાઇન, પર્ફોમન્સ અને વારસાની પ્રશંસા કરતા રાઇડર્સ માટે તેમના મૂલ્ય પ્રસ્તાવને વધારે છે.

નવી એક્સ-શોરૂમ કિંમત (20 ફેબ્રુઆરી, 2025 થી અમલી):

MM સીમમેઝો 650 રેટ્રો સ્ટ્રીટ : રૂ.4,99,000 (રૂ.2,00,000 ડિસ્કાઉન્ટ)
MM સીમમેઝો 650 સ્ક્રેમ્બલર : રૂ.5,20,000 (રૂ.1,90,000 ડિસ્કાઉન્ટ)

આ સુધારેલી કિંમતો બધા ઉપલબ્ધ કલર વિકલ્પો પર લાગુ પડે છે, જે ગ્રાહકોને નોંધપાત્ર રીતે ઓછી કિંમતે સમાન પ્રીમિયમ અનુભવનો આનંદ માણવાની ખાતરી આપે છે. આ કિંમત અપડેટ સાથે સીમમેઝો 650 રેન્જ પ્રીમિયમ મોટરસાઇકલ સેગમેન્ટમાં ઉચ્ચ-મૂલ્ય ઓફર તરીકે તેની સ્થિતિ મજબૂત બનાવે છે.

આ જાહેરાત પર બોલતા, AARI ના મેનેજિંગ ડિરેક્ટર વિકાસ ઝાબાખે જણાવ્યું હતું કે, “મોટો મોરિની પાસે સમૃદ્ધ ઇટાલિયન વારસો છે અને અમે આ અસાધારણ મોટરસાઇકલોને ભારતીય રાઇડર્સ માટે વધુ સુલભ બનાવવા માટે ઉત્સાહિત છીએ. આ કિંમતમાં સુધારો શૈલી, પ્રદર્શન અને મૂલ્યનું એક અદ્વિતીય સંયોજન પ્રદાન કરતી પ્રીમિયમ ઉત્પાદનો પહોંચાડવાની અમારી પ્રતિબદ્ધતા સાથે સુસંગત છે.”

ગ્રાહકો નવી સ્પર્ધાત્મક કિંમતે સીમમેઝો 650 મોડેલ શ્રેણીનો અનુભવ કરવા માટે દેશભરમાં Moto Vault ડીલરશીપની મુલાકાત લઈ શકે છે.

Related posts

સેમસંગ દ્વારા બીસ્પોક AI વિંડફ્રી™ એસી રેન્જ લોન્ચ કરાઈઃ સેગમેન્ટમાં 19 મોડેલ રજૂ કર્યા

truthofbharat

મેટર અનપ્લગ્ડ તમને ભારતની પ્રથમ ગિયર્ડ ઇલેક્ટ્રિક મોટરબાઇક – AERA પર તમારી કુશળતા, ગતિ અને જુસ્સાને ચકાસવા માટે આમંત્રિત કરે છે.

truthofbharat

કોઇનસ્વિચ સર્વેમાં જાણવા મળ્યું કે ક્રિપ્ટો રોકાણકારો માટે સિક્યોરિટી એ સર્વોચ્ચ પ્રાથમિકતા છે

truthofbharat