Truth of Bharat
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

માલિયાસણ ખાતે અકસ્માતમાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

।। રામ ।।

ગુજરાત, અમદાવાદ ૨૭ ફેબ્રુઆરી ૨૦૨૫: અમદાવાદ રાજકોટ હાઇવે પર માલિયાસણ ગામ નજીક ગઈકાલે એક અત્યંત દુઃખદ અકસ્માત થવા પામ્યો હતો અને તેમાં છ લોકોના કરુણ મોત નિપજયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર જામનગર અને નવાગામનો એક પરિવાર સામાજિક પ્રસંગે ચોટીલા જવા રીક્ષા લઈને નીકળ્યો હતો અને તેમાં એક પરિવારના સભ્યો મુસાફરી કરતા હતા. આ રીક્ષા જ્યારે રાજકોટ અમદાવાદ હાઈવે પર માલિયાસણ ગામ નજીક પહોંચી ત્યારે રોંગસાઈડમાં આવતા એક ટ્રક સાથે અથડાતાંસર્જાયેલા અકસ્માતમાં રીક્ષામાંબેઠેલા ૬ લોકોનાં કરુણ મોત નિપજયા હતાં અને એક વ્યક્તિ ઘાયલ થઈ છે. મૃત્યુ પામેલાઓમાં આઠ માસની બાળકીનો પણ સમાવેશ થાય છે.

              પૂજ્ય મોરારીબાપુએ આ અત્યંત હૃદય દ્રાવક ઘટનામાં માર્યાગયેલાઓને શ્રદ્ધાંજલિ પાઠવી છે અને તેમના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા 15000 લેખે રૂપિયા 90,000 ની સહાયતા રાશિ અર્પણ કરી છે. અતુલ ઓટોના શ્રી મહેન્દ્રભાઈ પટેલ દ્વારા આ સહાયતા રાશિ પહોંચાડવામાં આવશે. પૂજ્ય મોરારીબાપુએ આ ઘટનામાં માર્યા ગયા છે તેમના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે અને તેમના પરિવારજનોને દિલસોજી પાઠવી છે.

Related posts

સ્વિગી ડાઇનઆઉટનાGIRF 2026 એમ્બેસેડર તરીકે ભુવન બામ જોડાયા; ‘બિલ હાફ. પાર્ટી ફુલ’ સાથે BB કી વાઇન્સના પાત્રોને જીવંત બનાવ્યા

truthofbharat

કોકા-કોલા ઈન્ડિયા દ્વારા અમદાવાદમાં સ્થાનિક ઉદ્યોજકોને સશક્ત બનાવીને રિટેઈલ સ્થિતિસ્થાપકતાને મજબૂત બનાવાઈ

truthofbharat

એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ 2025: લેપટોપ, ટેબ્લેટ અને ઓડિયો ડિવાઇસ પર 75% સુધીની છૂટ; સેમસંગ, એપલ, એચપી, સોની, બોટ, આસુસ અને અન્ય ટોચની બ્રાન્ડ્સ પર ટોપ ડીલ્સ જાહેર

truthofbharat