Truth of Bharat
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

આંધ્રપ્રદેશની આગ દુર્ધટનામાં અકાળે મૃત્યુ પામેલા લોકોને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

ગુજરાત, અમદાવાદ | ૦૨ માર્ચ ૨૦૨૬ — પ્રાપ્ત વિગતો અનુસાર આંધ્રપ્રદેશ ખાતે કાકીનાડા જીલ્લામાં વેટલાપાલેમ ગામમાં ગત શનિવારે ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ થયો હતો જેમાં ૨૧ લોકોનાંઅકાળે અવસાન થયા છે. આ ઘટનામાં ૮થી વધુ લોકોને ઈજાઓ પહોંચી છે. સ્થાનિક લોકો દ્વારા મળતી માહિતી મુજબ બપોરે બે વાગ્યે બ્લાસ્ટ થયો હતો જેમાં જોતજોતાંમાં ૨૧ લોકોનાં કરુણ મોત નિપજયા હતા.

પૂજ્ય મોરારીબાપુએ આ ઘટનામાં માર્યાગયેલાઓને શ્રધ્ધાંજલિ પાઠવી છે અને તેમના પરિવારજનોને તત્કાળ રાહત મળે તે હેતુથી પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા ૩,૧૫,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે જે મુખ્ય પ્રધાન રાહત ફંડ માં જમા કરાવવામાં આવશે અને તેની વિતિય સેવા મુંબઈ સ્થિત રામકથાના શ્રોતા દ્વારા કરવામાં આવશે. પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના નિર્વાણ માટે હનુમાનજીનાં ચરણોમાં પ્રાર્થના કરી છે.

Related posts

વાધવાની ફાઉન્ડેશન અને જેશિયા આઈટી એસોસિયેશન દ્વારા ઉત્તર ગુજરાતમાં એમએસએમઈ અને સ્ટાર્ટઅપ સ્પર્ધાત્મકતાને શક્તિ આપવા મહેસાણામાં વેપાર વૃદ્ધિની વાટાઘાટનો અવસર લાવે છે

truthofbharat

અમદાવાદ ટાઇમ્સ ફેશન વીક ૨૦૨૫: પરંપરા, ઇનોવેશન અને ગ્લેમરનો સંગમ

truthofbharat

રેમેડિયમ લાઇફકેરના રાઇટ્સ ઇશ્યૂને મળ્યો સકારાત્મક પ્રતિસાદ : પહેલા બે દિવસમાં જ 26% સબસ્ક્રાઇબ થયો

truthofbharat