Truth of Bharat
ગુજરાતફાર્માસ્યુટિકલબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇનહેલ્થકેર

હર્બલાઇફ ઇન્ડિયાએ સ્લિપ એન્હાન્સTM લોન્ચ કર્યુ

  • હર્બલાઇફ સ્લિપ એન્હાન્સTMકેસરના અર્કમાંથી બનાવવામાં આવ્યુ છે, જેને ક્લિનીકલી નિંદ્રાની ગુણવત્તામાં સુધારો કરતું હોવાનું દર્શાવવામાં આવ્યુ છે

નેશનલ ૨૩ એપ્રિલ ૨૦૨૫: આગવી આરોગ્ય અને સુખાકારી કંપની, કોમ્યુનિટી અને પ્લેટફોર્મ હર્બલાઇફ ઇન્ડિયાએ સ્લિપ એન્હાન્સTMલોન્ચ કર્યુ છે – જે કેફેઇન-મુક્ત છે અને તેને છોડ આધારિત, ક્લિનીકલી હાથ ધરાયેલ ઇનગ્રેડીયન્ટના અભ્યાસ પછી બનાવવામાં આવી છે જે દર્શાવે છે કે તે નિંદ્રાની ગુણવત્તામાં સુધારો કરે છે. આ લોન્ચ એવા સમયે કરવામાં આવ્યુ છે જ્યારે વ્યસ્ત જીવનશૈલી, ડિજીટલ વ્યગ્રતા અને વધી રહેલ તણાવના સ્તરને કારણે નિંદ્રા વિકૃત્તિ ભારતમાં પ્રવર્તી રહી છે.

આજની ઝડપી વિશ્વમાં, ગુણવત્તાયુક્ત નિંદ્રા હવે લક્ઝરી રહી નથી પરંતુ એક જરૂરિયાત બની ગઇ છે. આમ છતાં સતત કાર્ય શિડ્યૂલ, વધી રહેલો સ્ક્રીન સમય, અને વધી રહેલા તણાવના સ્તર સાથે અનેક લોકો ગુણવત્તાયુક્ત નિંદ્રા પ્રાપ્ત કરવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. અભ્યાસ દર્શાવે છે અર્ધા ભાગના ભારતીયો થાક સાથે ઉઠે છે અને સુવના સમય પહેલા ડિજીટલ એક્સ્પોશર નિંદ્રાની ગુણવત્તાને વધુ ખરાબ કરે છે. અસરકારક નિંદ્રા ઉકેલની વધી રહેલ જરૂરિયાતને ઓળખી કાઢતા, હર્બલાઇફ ભારત જે રીતે નિંદ્રા લે છે તેમાં સુધારો લાવવા માટે ડગ માંડી રહ્યુ છે. સ્લિપ એન્હાન્સને કેસર સાથે ફોર્મ્યુલેટ કરવામાં આવ્યુ છે જે અસલ કેસર અર્ક છે જે ઓછામાં ઓછા 28 દિવસો સુધી સુવાના સમય પહેલા જો 1 કલાક પહેલા લેવામાં આવે તો નિંદ્રાની ગુણવત્તામાં સુધારો કરી શકાય છે તેવુ દર્શાવવામાં આવ્યુ છે.

સ્લિપ એન્હાન્સમાં ખાંડ, કૃત્રિમ સ્વાદ અને કેફીન ઉમેરવામાં આવતા નથી, જે તેને રાત્રિના સમયના દિનચર્યામાં અસરકારક ઉમેરો બનાવે છે. તેમાં જાસૂદ સ્વાદ છે અને તેમાં કેસરના અર્કનો સમાવેશ થાય છે જે ક્લિનિકલી રીતે ઊંઘની ગુણવત્તામાં સુધારો કરે છે, જાગ્યા પછી મૂડ સુધારે છે અને શાંતિની લાગણી સાથે ઉઠવામાં મદદ કરે છે.

“નિંદ્રા હવે ફક્ત આરામ જ નથી, તે શરીર અને મનને ફરીથી સેટ અને રિચાર્જ કરવા વિશે છે. હર્બાલાઇફ ઇન્ડિયા ખાતે, અમે એવા ઉકેલોમાં માનીએ છીએ જે વિકસિત ગ્રાહક જીવનશૈલી સાથે સુસંગત છે. સ્લિપ એન્હાન્સમાં કેસરના અર્કનો સમાવેશ થાય છે જે ક્લિનિકલી રીતે ઊંઘની ગુણવત્તામાં સુધારો કરવા માટે સાબિત થયું છે અને તમને શાંતિની લાગણી સાથે ઉઠવામાં મદદ કરે છે. આજના ઝડપી ગતિશીલ વિશ્વમાં, જ્યાં નિંદ્રાનો અભાવ સામાન્ય બની ગયો છે, અમે લોકોને તેમની રાતો અને આખરે, તેમની સુખાકારી પાછી મેળવવામાં મદદ કરવા માટે પ્રતિબદ્ધ છીએ,એમ હર્બાલાઇફ ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર અજય ખન્નાએ જણાવ્યું હતું.

સ્લિપ ઉદ્યોગમાં વિજ્ઞાન-સમર્થિત ઉપાયોની માંગમાં વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે હર્બાલાઇફ આ ચળવળમાં મોખરે છે, ખાતરી કરે છે કે ગ્રાહકો ફક્ત નિંદ્રા જ ન લે, તેઓ તેમની નિંદ્રાની ગુણવત્તામાં પણ સુધારો કરે.

Related posts

સાધનો કરીશું ત્યારે જ ચિત્તની શુદ્ધિ થશે અને ચિત્તની સુધી થાય ત્યારે અંદર રહેલો ઈશ્વર ઓળખાશે

truthofbharat

દળથી બચો; દળ, દલ-દલમાં ફસાવી દેશે

truthofbharat

“હું મા થી જ માનસ સુધી પહોંચ્યો છું”

truthofbharat

Leave a Comment