Truth of Bharat
ગુજરાતરાષ્ટ્રીયસેલિબ્રેશનહેડલાઇન

સ્વરા ગ્રુપે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી

અમદાવાદ, ગુજરાત | ૧૬ ઓગસ્ટ ૨૦૨૬ | સ્વરા ગ્રુપે શનિવારે ધ્વજવંદન સમારોહ સાથે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી. સ્વરા ગ્રુપના સ્થાપક અને ચેરમેન કાર્તિક સોનીએ ૮૦મા સ્વતંત્રતા દિવસ પર તમામ ભારતીયોને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી અને ગર્વથી ત્રિરંગો ફરકાવ્યો.

આ પ્રસંગે સંબોધન કરતાં, કાર્તિક સોનીએ સુરક્ષિત અને સ્વસ્થ સમાજના નિર્માણ માટે સામૂહિક પ્રયાસો કરવા આહવાન કર્યું. તેમણે કહ્યું કે કોઈ પણ યોગદાન નાનું નથી અને દરેક વ્યક્તિ પોતાની રીતે રાષ્ટ્રના વિકાસમાં પોતાની ભૂમિકા ભજવી શકે છે.

આ ઉજવણીમાં મોટી સંખ્યામાં સ્થાનિક રહેવાસીઓ, ખાસ કરીને બાળકોની ઉત્સાહભેર ભાગીદારી જોવા મળી. આ પ્રસંગે રાષ્ટ્રધ્વજના રંગોમાં સજ્જ બાળકો દ્વારા નૃત્ય અને ગીતો રજૂ કરવામાં આવ્યા હતા, જે પ્રસંગની ઉત્સવની ભાવનામાં વધારો કરે છે.

વર્ષ 2018માં સ્થાપિત સ્વરા ગ્રુપ પાલડી, ઉસ્માનપુરા, નવરંગપુરા, આંબાવાડી અને પરિમલ જેવા શહેરના પ્રાઇમ વિસ્તારોમાં રેસિડેન્શિયલ રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સ પર મુખ્યત્વે ધ્યાન કેન્દ્રિત કરે છે. આઠ વર્ષથી પણ ઓછા સમયગાળામાં ગ્રુપે અફોર્ડબલ તેવા 2BHK એપાર્ટમેન્ટ્સથી લઈને પ્રીમિયમ 4BHK રેસિડેન્સીસ સુધીના 1,500થી વધુ ઘરોનું નિર્માણ પૂર્ણ કરીને ડિલિવર કર્યા છે.

હાલમાં ગ્રુપના 10 પ્રોજેક્ટ્સ ડેવલપમેન્ટ અને એક્ઝિક્યુશન હેઠળ છે. રિડેવલપમેન્ટ સેગમેન્ટમાં ખાસ કરીને સ્વરા ગ્રુપ અમદાવાદના સૌથી વધુ પસંદગી પામતા ડેવલપર્સમાં સ્થાન મેળવી ચૂક્યું છે.

== સમાપ્ત ==

Related posts

નાણાકીય વર્ષ 25માં ડિજિટલ પેમેન્ટ વોલ્યુમમાં 35% વૃદ્ધિ, જે મહિલાઓ, જેન ઝી અને મિલેનિયલ્સ દ્વારા પ્રેરિત

truthofbharat

અમદાવાદમાં ઓલિમ્પિયન ગગન ઉલ્લાલમથના નેતૃત્વ હેઠળ જેજીઆઈ ગ્રુપ દ્વારા ભવ્ય સ્વિમિંગ ટેલેન્ટ હન્ટનું આયોજન

truthofbharat

સિસિલિયન પ્રીમિયર લીગ: અમદાવાદની સૌથી રોમાંચક ક્રિકેટ ટુર્નામેન્ટ શરૂ થઈ

truthofbharat

Leave a Comment