Truth of Bharat
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

દીકરી સન્માન અને વસ્ત્રદાનથી ગુંજ્યું બાલાજી હનુમાન મંદિર

શ્રાવણ માસ અને રક્ષાબંધન નિમિત્તે ૬થી ૨૧ વર્ષની દીકરીઓ માટે અનોખું સેવાકાર્ય

અમદાવાદ, ગુજરાત | ૨૪ ઓગસ્ટ ૨૦૨૬ | પવિત્ર શ્રાવણ માસ અને રક્ષાબંધનના પાવન પર્વ નિમિત્તે શ્રી બાલાજી હનુમાન મંદિર પરિવાર દ્વારા અનોખા સેવાકાર્યનું આયોજન કરવામાં આવ્યું હતું. ખેડા જિલ્લાના મેમદાબાદ ના દેસરા ખાતે આવેલ,મંદિર પરિવારના ટ્રસ્ટી શ્રીમતી જાગૃતિબેન મનિષકુમાર ત્રિવેદીના પ્રયાસોથી ૬થી ૨૧ વર્ષની દીકરીઓને વસ્ત્રદાન કરવામાં આવ્યું હતું.

આ સેવાકાર્ય શ્રી જગન્નાથજી મંદિરના મહંત તથા જગદ્દગુરુ શ્રી દિલીપદાસજી મહારાજના હસ્તે કરવામાં આવ્યું હતું. પવિત્ર શ્રાવણ માસમાં યોજાયેલા આ સેવાકાર્ય દ્વારા ‘માનવ સેવા એ જ માધવ સેવા’ની ભાવનાને સાકાર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો.

રક્ષાબંધન માત્ર ભાઈ-બહેનના પવિત્ર સંબંધનો તહેવાર નથી, પરંતુ સમાજની દીકરીઓ પ્રત્યે સન્માન, પ્રેમ અને જવાબદારી વ્યક્ત કરવાનો પણ અવસર છે. આ ભાવના સાથે મંદિર પરિવાર દ્વારા દીકરીઓના સન્માન અને તેમના ચહેરા પર સ્મિત લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો.

મંદિર પરિવારની ભાવના છે કે સમાજની દરેક દીકરીને સન્માન, પ્રેમ અને પ્રોત્સાહન મળે. વસ્ત્રદાન દ્વારા દીકરીઓને માત્ર ઉપયોગી વસ્તુ આપવામાં આવી નથી, પરંતુ તેમના પ્રત્યે સન્માન અને લાગણીનો સંદેશ પણ આપવામાં આવ્યો છે.

== સમાપ્ત ==

Related posts

ભારતના જીવન વીમા કંપનીઓએ નાણાકીય વર્ષ 25 માં ₹6.30 લાખ કરોડના લાભો ચૂકવ્યા, જે ઘરગથ્થુ નાણાકીય સુરક્ષાના આધારસ્તંભ તરીકે ઉભરી આવશે – વીમા જાગૃતિ સમિતિ (IAC-લાઇફ)

truthofbharat

ભગવાન જગન્નાથજીની રથયાત્રા પર્વ નિમિત્તે મોરારી બાપુનો શુભ સંદેશ

truthofbharat

ઇન્ડિયા રેટિંગ્સ એન્ડ રિસર્ચે ABDનું રેટિંગ ‘IND AA-‘ સ્ટેબલ આઉટલૂક સાથે બે તબક્કા વધાર્યું

truthofbharat

Leave a Comment