Truth of Bharat
CSR પ્રવૃત્તિઓગુજરાતરાષ્ટ્રીયસામાજિક પ્રવૃત્તિહેડલાઇન

રોટરેક્ટ ક્લબ અને વી ફોર યુ ફાઉન્ડેશન દ્વારા નિસ્વાર્થ લહિયાઓ અને તેજસ્વી પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓનું સન્માન

અમદાવાદ | ૧૧ જુલાઈ ૨૦૨૫: રોટરેક્ટ ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટ (બ્લાઈન્ડ) અને વી ફોર યુ ફાઉન્ડેશન દ્વારા સંયુક્તપણે એક વિશિષ્ટ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું . આ કાર્યક્રમ અંધશાળા, ટાઈમ્સ ઑફ ઈન્ડિયા સામે, આશ્રમ રોડ, નવરંગપુરા, અમદાવાદ ખાતે યોજાયો હતો.

આ સમારોહનો મુખ્ય હેતુ એવા નિસ્વાર્થ લહિયાઓને બિરદાવવાનો છે, જેઓ શાળા અને કોલેજમાં પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓના પરીક્ષામાં પેપર લખે છે. આ લહિયાઓનો સહયોગ પ્રશંસનીય છે અને તેમના યોગદાનને સન્માનિત કરવા માટે આ કાર્યક્રમ યોજાયો હતો.

આ ઉપરાંત, માર્ચ 2025 માં ધોરણ 10 અને 12 ની પરીક્ષા વિશેષ શાળાઓમાંથી પાસ કરનાર અને પોતાની શાળામાં પ્રથમ કે દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કરનાર અમદાવાદ અને ગાંધીનગર જિલ્લાના તેજસ્વી પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓને પણ આ પ્રસંગે બિરદાવવામાં આવ્યા. તેમની મહેનત અને સિદ્ધિઓ અન્યો માટે પ્રેરણારૂપ છે.

આ કાર્યક્રમમાં સંસ્થાને વિવિધ રીતે મદદ કરનાર સ્વયંસેવકો (વોલન્ટિયર્સ) નું પણ સન્માન કરવામાં આવ્યું, કારણ કે તેમના સહયોગ વિના આવા કાર્યક્રમોનું આયોજન શક્ય નથી.

Related posts

સેમસંગ ગેલેક્સી Z ફોલ્ડ 7, Z ફ્લિપ 7 અને Z ફ્લિપ 7 FE, વોચ8, વોચ 8 ક્લાસિકનું ભારતમાં આજથી વેચાણ શરૂ

truthofbharat

એસયુડી લાઇફે તેનું બીજું યુનિટ લિંક્ડ ફંડ લોન્ચ કર્યું: સુડ લાઇફ મિડકેપ મોમેન્ટમ ઇન્ડેક્સ ફંડ

truthofbharat

શાસ્ત્ર કહે છે કે પિતા અનિહ અને માતા અનિંદ હોવી જોઈએ

truthofbharat