Truth of Bharat
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

વૈષ્ણોદેવી ખાતે પૂરમાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

ગુજરાત, અમદાવાદ | ૨૮ ઓગસ્ટ ૨૦૨૫: છેલ્લા કેટલાક દિવસોથી દેશનાં વિવિધ રાજ્યોમાં ભારે વરસાદને પગલે જાનમાલની ભારે ખુવારી થઈ છે અને અનેક લોકોના મોત નિપજયા છે. જમ્મુમાં વાદળ ફાટવાથી કિશતવાડ વિસ્તારમાં તબાહી મચી હતી તે સમાચાર હજુ તાજા છે ત્યાંપ્રાપ્ત માહિતી મુજબ વૈષ્ણોદેવીમાં ભારે વરસાદને પગલે ભૂસ્ખલન થતાં ૩૩ લોકોનાં કરુણ મોત નિપજ્યા છે તેવા દુઃખદ સમાચારો પ્રાપ્ત થયા છે. રિયાસી જીલ્લામાં ભારે વરસાદ પગલે ભૂસ્ખલન થતાં વૈષ્ણોદેવી મંદિર માં દર્શનાર્થે આવેલા લોકોમાંથી ૩૩ લોકોનાં મોત નિપજયા છે.

પૂજ્ય મોરારીબાપુની રામકથા પોલેન્ડ ખાતે ચાલી રહી છે ત્યારે તેમણે આ કરુણાંતિકામાં માર્યા ગયેલાઓને શ્રધ્ધાંજલિ પાઠવી છે અને રુપિયા ૪,૯૫,૦૦૦ ની હનુમંત સંવેદના રાશિ પણ અર્પણ કરી છે. ટ્રસ્ટ દ્વારા સ્થાનિક સરકાર ને આ રાશિ પહોંચાડવામાં આવશે. પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે.

Related posts

સેમસંગ સેમીકંડક્ટર ઈન્ડિયા રિસર્ચ દ્વારા ગવર્નમેન્ટ પોલીટેક્નિક કોલાર ગોલ્ડ ફિલ્ડ્સ ખાતે ‘સેમસંગ સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર’ શરૂ કરાયું

truthofbharat

કોટક પ્રાયવેટના ટોપ ઓફ ધ પિરામિડ રિપોર્ટમાં ભારતના અલ્ટ્રા-HNIsના પ્રવાહમાં પરિવર્તન થયું હોવાનુ બહાર આવ્યું

truthofbharat

Amazon.inએ ગુજરાતમાં ખરીદી અને વેચાણનાં વલણો જાહેર કર્યા

truthofbharat