Truth of Bharat
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

ઉતરાખંડની બસ દુર્ધટનામાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાયતા

ગુજરાત, અમદાવાદ | ૨૬ નવેમ્બર ૨૦૨૫ — ગત તારીખ ૨૩/૧૧/૨૫ ના દિવસે ઉતરાખંડમાં ગુજરાતના યાત્રાળુઓની બસને અકસ્માત નડયો હતો અને તેમાં પ્રાપ્ત માહિતી અનુસાર ૫ લોકોનાં મોત નિપજયા છે.

ટીહરી જીલ્લામાં ગુજરાતી શ્રધ્ધાળુઓની બસ ૭૦ ફૂટ ઉંડી ખીણમાં ખાબકતા પાંચ લોકોનાં કરુણ મોત નિપજયા હતા અને અનેક લોકો ઘાયલ થયા હતા. પૂજ્ય મોરારીબાપુએ આ ઘટનામાં માર્યા ગયેલાઓને શ્રધ્ધાંજલિ પાઠવી છે અને તેમના પરિવારજનોને હનુમંત સંવેદના રુપે રુપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા ૭૫,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે જે ટ્રસ્ટ દ્વારા ગુજરાત રાજ્યનાં મુખ્યમંત્રી રાહત ફંડ માં જમા કરાવવામાં આવશે. પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે અને તેમના પરિવારજનોને દિલસોજી પાઠવી છે.

Related posts

ટાઈગર શ્રોફ અને પરેશ રાવલે મુંબઈના વિલે પાર્લે વિસ્તારમાં એક નવા કાર્ડિયાક કેર સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું

truthofbharat

ઝેબર સ્કૂલ ફોર ચિલ્ડ્રન ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ

truthofbharat

ભારતમાં સ્વચ્છ સ્ટીલ નિર્માણને પ્રોત્સાહન: આર્સેલરમિત્તલના 1GW રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટમાંથી ઉત્પન્ન વીજળી તેના ભારતીય સ્ટીલ નિર્માણ JV ને પ્રાપ્ત થવા લાગી

truthofbharat