Truth of Bharat
ગુજરાતધાર્મિકભારત સરકારરાષ્ટ્રીયહેડલાઇન

પૂજ્ય મોરારી બાપૂએ આતંકવાદના ખાત્મા માટે દેશવાસીઓને અભિનંદન આપ્યાં

નંદપ્રયાગ, ઉત્તરાખંડ ૦૭ મે ૨૦૨૫: પરમ પૂજ્ય મોરારી બાપૂએ ભારતીય સેનાની ત્રણેય પાંખને આતંકવાદના નાશ માટે મોડીરાત્રે હાથ ધરાયેલા સફળ ઓપરેશન બદલ અભિનંદન પાઠવ્યાં હતાં. બાપૂએ તેમની વ્યાસપીઠ ઉપરથી કહ્યું હતું કે આતંકવાદના નાશ માટે મોડી રાત્રે 1થી2 વાગ્યા વચ્ચે આ પ્રયોગ (ઓપરેશન) કરાયો હતો. હું તેના માટે આપણા વીર, ધીર અને ગંભીર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, રક્ષામંત્રી રાજનાથ સિંહ અને ગૃહમંત્રી અમિતભાઇ શાહ સાથે સમગ્ર કેબિનેટને અભિનંદન પાઠવું છું. તેમણે દેશની જનતાને પણ શુભેચ્છા પાઠવતા કહ્યું હતું કે, સેના દ્વારા કરાયેલી કામગીરી કોઇ દેશ, તેની સેના ઉપર નથી, માત્રને માત્ર આતંકવાદ અને આતંકવાદના આકાઓ ઉપર છે. ફરી એકવાર દરેકને અભિનંદન.

Related posts

2026 માં કરિયરને નવી દિશા આપનાર ગ્લોબલ ફાઇનાન્સ સર્ટિફિકેશન્સ

truthofbharat

વી-ગાર્ડને લક્સીક્યુબ વોટર હીટર માટે જર્મન ડિઝાઈન એવોર્ડ 2026 ખાતે વૈશ્વિક સન્માન

truthofbharat

અમદાવાદના 16 અગ્રણી બિઝનેસ નેટવર્ક્સ “નેટવર્કર્સ મહાકુંભ 2.0” માટે એક મંચ પર

truthofbharat