Truth of Bharat
ગુજરાતધાર્મિકભારત સરકારરાષ્ટ્રીયહેડલાઇન

પૂજ્ય મોરારી બાપૂએ આતંકવાદના ખાત્મા માટે દેશવાસીઓને અભિનંદન આપ્યાં

નંદપ્રયાગ, ઉત્તરાખંડ ૦૭ મે ૨૦૨૫: પરમ પૂજ્ય મોરારી બાપૂએ ભારતીય સેનાની ત્રણેય પાંખને આતંકવાદના નાશ માટે મોડીરાત્રે હાથ ધરાયેલા સફળ ઓપરેશન બદલ અભિનંદન પાઠવ્યાં હતાં. બાપૂએ તેમની વ્યાસપીઠ ઉપરથી કહ્યું હતું કે આતંકવાદના નાશ માટે મોડી રાત્રે 1થી2 વાગ્યા વચ્ચે આ પ્રયોગ (ઓપરેશન) કરાયો હતો. હું તેના માટે આપણા વીર, ધીર અને ગંભીર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, રક્ષામંત્રી રાજનાથ સિંહ અને ગૃહમંત્રી અમિતભાઇ શાહ સાથે સમગ્ર કેબિનેટને અભિનંદન પાઠવું છું. તેમણે દેશની જનતાને પણ શુભેચ્છા પાઠવતા કહ્યું હતું કે, સેના દ્વારા કરાયેલી કામગીરી કોઇ દેશ, તેની સેના ઉપર નથી, માત્રને માત્ર આતંકવાદ અને આતંકવાદના આકાઓ ઉપર છે. ફરી એકવાર દરેકને અભિનંદન.

Related posts

ઓસ્ટ્રેલિયાના D32 બિઝનેસ નેટવર્કનું અમદાવાદમાં ઔપચારિક લોન્ચિંગ થયું

truthofbharat

AM/NS India એ CSIR-CRRI ની સ્ટીલ સ્લેગ એગ્રીગેટ્સ ટેકનોલોજી લાઈસન્સ મેળવનાર પ્રથમ કંપની બની, જેણે માર્ગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસમાં ‘વેસ્ટ-ટુ-વેલ્થ’ સંભાવનાને અનલૉક કરશે

truthofbharat

ડ્રીમ ટેકનોલોજીએ ભારતમાં L40 Ultra AE અને D20 Ultra ઓલ-ઇન-વન રોબોટિક વેક્યુમ લોન્ચ કરીને તેના ઉત્પાદન પોર્ટફોલિયોનો વિસ્તાર કર્યો

truthofbharat