Truth of Bharat
ગુજરાતબોલિવૂડમનોરંજનરાષ્ટ્રીયહેડલાઇન

મનીષ મલ્હોત્રાની ‘ગુસ્તાખ ઇશ્ક’, જેમાં નસીરુદ્દીન શાહ, વિજય વર્મા અને ફાતિમા સના શેખ છે, એક સાહસિક પ્રેમકથા છે… ઇશ્ક, પણ એવો જેવો ક્યારેય હતો

ગુજરાત, અમદાવાદ | ૨૫ ઓગસ્ટ ૨૦૨૫: મનીષ મલ્હોત્રા હંમેશા સિનેમાના મોટા પ્રશંસક રહ્યા છે. બાળપણમાં ફિલ્મો જોઈને તેમના મનમાં રંગ, સંગીત અને કહાનીની જાદૂઈ દુનિયા વસાવી ગઈ હતી. ફેશન જગતમાં પોતાનું નામ બનાવતાં પહેલાં સિનેમાએ તેમની કલ્પના શક્તિને આકાર આપ્યો હતો. હવે, પોતાની પ્રથમ ફિલ્મ પ્રોડક્શન ‘ગુસ્તાખ ઇશ્ક’ સાથે, જે નવેમ્બર 2025માં રિલીઝ થશે, તેઓ પોતાના બેનર Stage5 Production હેઠળ ફિલ્મ નિર્માણમાં પ્રવેશી રહ્યા છે.

ફિલ્મની પૃષ્ઠભૂમિ છે જુની દિલ્હીની ગલીઓ અને પંજાબની જૂની થતી જતા હવેલીઓ. ‘ગુસ્તાખ ઇશ્ક’ એ એવો પ્રેમ છે જેમાં જુનૂન અને અજાણી લાગણીઓ છુપાયેલી છે, અને જે એ વિશ્વથી પ્રેરિત છે જ્યાં વાસ્તુકલા યાદોને સાચવી રાખે છે અને સંગીત દિલની તરસને વ્યક્ત કરે છે.

ફિલ્મના દિગ્દર્શક છે વિભુ પુરી, અને તેમાં જોડાયા છે અનેક સર્જનાત્મક પ્રતિભાઓ — સંગીત: વિશાલ ભારદ્વાજ, ગીત: ગુલઝાર, ધ્વનિ: રેસુલ પુકુટ્ટી, અને સિનેમેટોગ્રાફી: મનુષ નંદન. ફિલ્મમાં એવા કલાકારો છે કે જે આધુનિક બોલીવૂડની ઓળખ છે — અનુભવી નસીરુદ્દીન શાહ, કુશળ વિજય વર્મા, ફાતિમા સના શેખ અને શરીબ હાશમી.

પોતાના નિર્માતા બનવાના અનુભવો અંગે મનીષ મલ્હોત્રા કહે છે: “મારું સિનેમાના પ્રત્યેનું પ્રેમ બાળપણથી છે. સિનેમા હોલમાં રંગો, કપડાં, સંગીત અને લાઇફસ્ટાઇલ જોવી એ મારી કલ્પનાને આકાર આપતું રહ્યું અને મને ડિઝાઇનર બનવાની પ્રેરણા મળી. આજે, ફિલ્મ પ્રોડક્શનમાં પ્રવેશ કરવો એ મારી માટે એ માધ્યમને કંઈક પાછું આપવાનો પ્રયાસ છે જેણે મને બધું આપ્યું. Stage5 Production સાથે, અમારી યાત્રા હંમેશાં નવી કહાનીઓ, શૈલીઓ અને ફિલ્મો દ્વારા કંઈક નવું અને પ્રેરણાદાયી રજૂ કરવાનો રહેશે.”

તેમના ભાઈ દિનેશ મલ્હોત્રા સાથે Stage5 Production હેઠળ બનેલી ‘ગુસ્તાખ ઇશ્ક’ મનીષ મલ્હોત્રા માટે એક નવું અધ્યાય છે. આ ફિલ્મ ક્લાસિક કહાની કહવાના જાદૂને યાદ કરાવે છે અને ભારતીય સિનેમાના ભવિષ્ય તરફ એક પગલુ છે.

થિયેટરમાં, નવેમ્બર 2025. અમે આતુરતાથી રાહ જોઇ રહ્યા છીએ એવી કહાનીની કે જે અમારા દિલને સ્પર્શી જશે.

Related posts

કોટક મહિંદ્રા પ્રાઈમ લિમિટેડમાં લીડરશિપ રૂપાંતરની ઘોષણા

truthofbharat

તમારા માટે આ પ્રવચન, મારા માટે સ્વાધ્યાય છે: બાપુ

truthofbharat

ભોગવિલાસથી સુખાકારી સુધીઃ અમદાવાદમાં લક્ઝરી વેલનેસમાં વધારો

truthofbharat