Truth of Bharat
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

પાત્રતા વગર શાસ્ત્ર પચતું નથી.

આપણે-કથા વાચકો-કથા પાચક પણ છીએ”.

પહેલા ખૂબ જ રિયાઝ,સંશોધન,ગુરુકૃપાનીછાયામાં કરવું પડે છે.

શ્રવણનું છેલ્લું પરિણામ છે:શરણાગતિ.

બ્રહ્મને જાણનાર બ્રહ્મની સમાન નહીં,બ્રહ્મ જ બની જાય છે.

ગુરુ પ્રતીતિનો એક મતલબ:એનાં એક વચન પર અખંડ ભરોસો.

અહીં એક જ પ્રસંગ,એક જ સંવાદમાં પાંચ વખત આશ્રમ શબ્દ લખાયો છે-એ આશ્રમપંચક વાલ્મીકિ આશ્રમની વિશેષતા છે.

પૂણ્ય ભૂમિ કિલ્લારી(મહારાષ્ટ્ર)માં ગવાઇ રહેલી રામકથાનાં આઠમા દિવસ-શનિવારે બે વિશિષ્ટ મહાન વ્યક્તિ મંડપમાં બિરાજમાન હતી ત્યારે બાપુએ કહ્યું કે:મહાસત્તાઓ તો ઘણી હોય પણ મહારાષ્ટ્ર એક છે,એની સાધુતાભરી ભૂમિને પ્રણામ કરીને શિવ કથાનાં ઉપાસક-સાધક-ગાયક મહારાજ શ્રી પધાર્યા છે ત્યારે પાંચ ‘પ’-કારથી એક આભૂષણ અલંકાર બને છે.જેમાં પરાક્રમી-પર ઉપર આક્રમણ કરનાર વ્યક્તિ,જે અન્યનો ગર્વ ઉતારવા માટે થોડીક ચોટ લગાડેે,પુરુષાર્થી,પ્રારબ્ધિ,પરોપકારી અને પરમાત્માને પ્રાપ્ત કર્યો છે-વિનય અને વિનમ્રતા એનો અલંકાર છે.સાથે સાથે પંઢરપુરની સેવા પ્રાપ્ત કરી છે અને ચક્રીય ભજન કરાવે છે એવા મહારાજ શ્રીનાં મોટાભાઈ-એની નમ્રતાની પણ સરાહના કરી.

એક ગ્રંથ ‘કૈવલ્ય દર્શન’-આમ તો ખૂબ ક્લિષ્ટ ગ્રંથ છે પણ એમાં બતાવેલી વાતો ખૂબ સરળ છે.જેનાં એક મંત્રનું બાપુએ પઠન કરાવ્યું.

શંકરાચાર્યએપ્રતીતિનાં ત્રણ પ્રકાર બતાવ્યા:એક શાસ્ત્ર પ્રતીતિ,બીજી-ગુરુ પ્રતીતિ અને ત્રીજી-આત્મ પ્રતીતિ.

ગોસ્વામીજીએ પણ લખ્યું છે:

જાને બિનું ન હોઇહિપરતીતિ;

બિનુપરતીતિહોઈહિ નહીં પ્રીતિ.

અધિકારની વાત નથી પણ પાત્રતા વગર શાસ્ત્ર પચતું નથી.કથા જગતને પ્રાર્થના કરતા કહ્યું કે આપણે કથા વાંચકો માત્ર કથા વાચક નહીં,કથા પાચક પણ છીએ પહેલા ખૂબ જ રિયાઝ,સંશોધન,ગુરુકૃપાનીછાયામાં કરવું પડે છે.

મીરાંને કૃષ્ણની મૂર્તિ મળી એ મૂર્તિ નહીં સાક્ષાત કૃષ્ણ માનતા.ઠાકૂરરામકૃષ્ણ પરમહંસ મૂર્તિમાં જ મા દેખતા.મા ને સમાન નહીં.કારણ કે સમાનમાં તો બે છે અહીં કોઈ વસ્તુ સમાન નથી.સમાન નથી ત્યાં એકત્વ છે.બ્રહ્મને જાણનાર બ્રહ્મની સમાન નહીં,બ્રહ્મ જ બની જાય છે.આ એકત્વ છે.

ગુરુ પ્રતીતિનો એક મતલબ એનાં એક વચન પર અખંડ ભરોસો.

શ્રવણનું છેલ્લું પરિણામ છે:શરણાગતિ.શરણ થયા તો મરણ!આપણે એ નથી રહેતા જે આપણે છીએ. મરણનું પરિણામ છે-વિસ્મરણ.વિસ્મરણનું પરિણામ નિરંતર સ્મરણ.

‘કૈવલ્ય દર્શન’નો મંત્ર:શ્રદ્ધા સેવિત….-એ આવી ત્રણેય પ્રકારની પ્રતીતિ કરાવે છે.આવો સદગુરુ કોણ સ્વભાવ જ જેનો ઉપદેશ છ.સ્વાભાવિક ઉપદેશ આપે છે,એનાથી બળ મળે છે,પરાક્રમ મળે છે.બધા જ ગુરુ સંતાપ હરેછે.સંશયછેદન કરે છે,શાંતિ આપે છે.આવો સત્સંગ બ્રહ્મવત છે.

આ જ જન્મમાં પરમાત્માની પ્રાપ્તિ આપણો જન્મ સિધ્ધ અધિકાર છે.

અહીં એક જ પ્રસંગ,એક જ સંવાદમાં પાંચ વખત આશ્રમ શબ્દ લખાયો છે-એ આશ્રમપંચક વાલ્મીકિ આશ્રમની વિશેષતા છે.

ચરણ દર્શન,ચરણ વંદન,ચરણસ્પર્શ,ચરણ રજ, ચરણામૃત,ચરણ પાદુકા,ચરણ પ્રક્ષાલન,ચરણ પૂજા આવચરણઅષ્ટકની પંક્તિઓ રામચરિતમાનસમાં અલગ-અલગ રીતે પથરાયેલી પડી છે એ પંક્તિઓની વાત પણ થઈ.

સંક્ષિપ્તમાંઅયોધ્યા કાંડ,અરણ્યકાંડનું ગાયન કરીને કિષ્કિંધાકાંડમાંસુગ્રીવની મૈત્રી બાદ ચાતુર્માસ પછી સીતાખોજનું અભિયાન ચાલે છે.સુંદરકાંડના અંતમાં શૈવ,શાક્ત અને વૈષ્ણવોને જોડે એવો સેતુ-સેતુબંધરામેશ્વરની સ્થાપના કરી આજે કથાને વિરામ અપાયો.રવિવારેરામકથાનો પૂર્ણાહુતિ દિવસ છે.

Related posts

વોર્નર બ્રધર્સ ડિસ્કવરીએ શરૂ કર્યો 2026 સમર ફીસ્ટાઃ પોગો પર નવા શો ‘સંપત ચંપત’ અને કાર્ટૂન નેટવર્ક પર ‘કિયાન એન્ડ કિકી’ના પ્રીમિયરની જાહેરાત કરી

truthofbharat

રેડમી A5 ભારતમાં લોન્ચ:પાવર અને ઇનોવેશન સાથે એન્ટ્રી-લેવલ સ્માર્ટફોનને પુનઃવ્યાખ્યાયિત કર્યા

truthofbharat

સ્ટાર યુનિયન દાઈ-ઇચી લાઈફ ઈન્શ્યોરન્સે આંતરરાષ્ટ્રીય પદચિહ્ન વિસ્તાર કરતા પોતાની નવી શાખા ગિફ્ટ સિટી ખાતે ખોલી અને આંતરરાષ્ટ્રીય લાઈફ ઈન્શ્યોરન્સ સોલ્યુશનનું પ્રક્ષેપણ કર્યું છે.

truthofbharat