Truth of Bharat
ગુજરાતટ્રાવેલિંગબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

એર કેનેડા, એરોપ્લાન સભ્યો માટે વસંત વિશિષ્ટ ઓફર લોન્ચ સાથે ટેકઓફ કરવા તૈયાર

* આ નવી ઝુંબેશ ભારત અને કેનેડા વચ્ચેની ફ્લાઇટ્સ પર બોનસ એરોપ્લાન પોઈન્ટ્સ ઓફર કરે છે
* આ ઓફર 31 માર્ચ પહેલાં બુક કરવામાં આવનાર ફ્લાઇટ્સ માટે ઉપલબ્ધ છે

નવી દિલ્હી ૧૫ માર્ચ ૨૦૨૫: કેનેડાની સૌથી મોટી અને ભવ્ય એરલાઇન અને ફ્લેગ કેરિયર એર કેનેડાએ તેની નવીનતમ ઝુંબેશ સાથે આકાશમાં ઉડાન ભરી રહ્યું છે, જેનો હેતુ ભારત અને કેનેડા વચ્ચે મુસાફરી કરવા ઇચ્છતા એરોપ્લાન સભ્યો માટે છે.

આ અભિયાન મર્યાદિત સમય માટે છે અને ગ્રાહકોને એક પાત્ર રાઉન્ડ ટ્રીપ પર 15,000 બોનસ પોઈન્ટ્સ અથવા બે સ્થળો વચ્ચે બે પાત્ર વન-વે ટ્રીપ્સ મેળવવાની તક આપશે, અને આ સાથે આ અગ્રણી વૈશ્વિક કેરિયર ભારત અને ઉત્તર અમેરિકા વચ્ચે તેની પ્રતિષ્ઠા વધારી રહ્યું છે.

આ ઓફરનો અર્થ એ છે કે માત્ર એક જ વ્યવહાર સાથે, ગ્રાહકો એર કેનેડાની ભાગીદાર એરલાઇન્સમાંથી એક સાથે ભારતમાં એક-માર્ગીય ટ્રીપ બુક કરવા માટે પૂરતા એરોપ્લાન પોઈન્ટ્સ મેળવી શકશે.

જો ગ્રાહકો પ્રમોશનલ સમયગાળા દરમિયાન ટિકિટનું બુકિંગ કરાવે છે, તો તેઓને આ ઓફરના ભાગ રૂપે ભારતથી કેનેડાની વન-વે ટ્રીપ પર 7,500 બોનસ પોઈન્ટ પણ મળી શકે છે.

હવેથી 31 માર્ચ વચ્ચેની બુકિંગ માટે ઉપલબ્ધ, આ ઓફર 15 ડિસેમ્બર 2025 સુધીની મુસાફરી માટે માન્ય છે, અને એર કેનેડાના બેઝિક ભાડા સિવાય, બિઝનેસ ક્લાસ, પ્રીમિયમ ઇકોનોમી, પ્રીમિયમ રૂજ અને ઇકોનોમી મુસાફરીના તમામ વર્ગો માટે લાગુ પડે છે.

એર કેનેડાના જનરલ મેનેજર અને કન્ટ્રી હેડ, ભારતના વડા, અરુણ પાંડેયએ જણાવ્યું હતું કે: “માર્ચ મહિનો એ કેનેડામાં વસંત ઋતુની શરૂઆતનો સંકેત છે, તેથી અમારું આ વસંત પ્રમોશન પ્રવાસીઓ માટે કેનેડામાં તેમના ઉનાળાની યાત્રાનું આયોજન કરવાની એક ઉત્તમ તક છે, ભલે તે ટ્રીપ વ્યવસાય માટે હોય કે આરામદાયક રીતે ફરવા માટે હોય, તેઓ આ સાથે અમારા પ્રખ્યાત લોયલ્ટી પ્રોગ્રામના તમામ લાભ પણ મેળવી શકે છે.

“આ ઓફર અમારી એરલાઈનમાં નિયમિત ઉડાન ભરનારાઓએ અમારા પર મૂકેલા અપાર વિશ્વાસ અને વફાદારી માટે તેઓને પુરસ્કાર આપવા માટે અમારી પહેલ છે. જેઓ હજુ સુધી એરોપ્લાનના સભ્યો બન્યા નથી, તો અમે તમને આ પરિવારમાં જોડાવા માટે વિનંતી કરીએ છીએ, જેથી તમે આ અદ્ભુત ઑફર્સ ચૂકી જશો નહીં!”

આ ઓફર માટે નોંધણી કરાવવા માટે, એરોપ્લાન સભ્યો પાત્ર ફ્લાઇટ્સ બુક કરતા પહેલા તેમના વ્યક્તિગત ઓફર ઈ-મેલમાં ‘નોંધણી કરો અને બુક કરો’ ટેબ પર ક્લિક કરી શકે છે. વૈકલ્પિક રીતે, જેમણે હજુ સુધી એરોપ્લાનમાં સાઇન અપ કર્યું નથી તેઓ વેબસાઇટ દ્વારા મફતમાં સભ્ય બની શકે છે.

એર કેનેડાનો એરોપ્લાન લોયલ્ટી પ્રોગ્રામ એ તેના સભ્યોને ફ્લાઇટ્સ, અપગ્રેડ, મર્ચેન્ડાઇઝ, હોટેલ રોકાણ, કાર ભાડા, એર કેનેડા વેકેશન પેકેજો, ગિફ્ટ કાર્ડ્સ, મુસાફરીના અનુભવો અને અન્ય વિશિષ્ટ લાભો માટે રિડીમ કરી શકાય તેવા રિવોર્ડ પોઈન્ટ્સ સહિત અનેક વિશિષ્ટ લાભોની તક આપે છે.

આ સભ્યપદમાં પ્રાયોરિટી બોર્ડિંગ, ડિસ્કાઉન્ટ અને એર કેનેડાના મેપલ લીફ લાઉન્જની ઍક્સેસ જેવા અન્ય ઘણા લાભો પણ શામેલ છે જે તેમના વૈભવી વાતાવરણ, આરામદાયક સિટિંગ, મફત નાસ્તા અને પીણાં, હાઇ-સ્પીડ વાઇ-ફાઇ અને શાવર સુવિધાઓ માટે લોકપ્રિય છે.

ભારત અને કેનેડા વચ્ચે મુસાફરી કરવા ઇચ્છતા ગ્રાહકો એર કેનેડાના તેમની સાથેના આ અજોડ જોડાણોનો પણ લાભ મેળવી શકે છે, જેમાં દિલ્હીથી મોન્ટ્રીયલ અને ટોરોન્ટોની સીધી ફ્લાઇટ્સ ઉપરાંત મુંબઈથી ટોરોન્ટો ફ્લાઇટનો પણ સમાવેશ થાય છે. જેઓ વધુ પશ્ચિમ તરફ આગળ તરફ જવા ઇચ્છતા હોય, તેઓ દિલ્હીથી લંડન હીથ્રો સુધીની ફ્લાઇટ્સનો પણ લાભ શકે છે, જે એર કેનેડાની કેલગરી અને વાનકુવર સેવાઓ પર કનેક્શનની મંજૂરી આપે છે.

Related posts

15 સૌથી ઝડપથી વિકસતી સ્કિલ જે ભારતીયોને કાર્યસ્થળ પર આગળ રહેવા માટે જરૂરી : લિંક્ડઇન સ્કિલ્સ ઑન ધ રાઇસ 2025

truthofbharat

ઈશાની દવે અને શંકુસ એન્ટરટેઈનમેન્ટનો “બદલાવ: ચેપ્ટર 1” દર્શકો માટે રહ્યો અવિસ્મરણીય અનુભવ

truthofbharat

ક્રેડાઈ અમદાવાદ ૯,૧૦ અને ૧૧ જાન્યુઆરી ૨૦૨૬ દરમિયાન ૨૦મા GIHED પ્રોપર્ટી ઓલિમ્પિયાડનું આયોજન કરશે

truthofbharat