મુંબઈ | ૧૧મી સપ્ટેમ્બર ૨૦૨૫: ભારતની આર્થિક રાજધાની મુંબઈ સપ્ટેમ્બરના અંત સુધીમાં નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય વિમાનમથક (NMIA) ના ઉદ્ઘાટન સાથે ઉડ્ડયનમાં પરિવર્તનશીલ ટેકઓફ માટે તૈયાર છે. આ અત્યાધુનિક સુવિધા મુંબઈના આકાશને નવો આકાર આપવા અને તેના ઉડ્ડયન ભવિષ્યને પુન:વ્યાખ્યાયિત કરવાનું વચન આપે છે.તેમુંબઈ શહેરને દુબઈ, લંડન અને ન્યુયોર્ક જેવા વૈશ્વિક દિગ્ગજો સાથે જોડશે.
ઉલ્વે અને પનવેલ નજીક નવી મુંબઈમાં વ્યૂહાત્મક રીતે સ્થિતNMIA હાલના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય વિમાનમથક (CSMIA) સાથે મળીને કામ કરવા તૈયાર છે.તે દુબઈના DXB-DWC, લંડનના હીથ્રો-ગેટવિક અને ન્યુ યોર્કના JFK-નેવાર્ક જોડી જેવું ટ્વીન-એરપોર્ટ મોડેલ બનાવે છે. વર્ષોથીCSMIA મુંબઈને વિશ્વ સાથે જોડતું પ્રવેશદ્વાર રહ્યું છે.ક્ષમતા મર્યાદાઓ હોવા છતાં તે વાર્ષિક 50 મિલિયનથી વધુ મુસાફરોને હેન્ડલ કરે છે.
નવા એરપોર્ટની ડિઝાઇન અને માળખાગત સુવિધાઓ અદભુત છે. ફેઝ 1 માં ટર્મિનલ 1 રજૂ કરવામાં આવ્યું છે, જે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બંને સેવાઓને આવરી લેતીવાર્ષિક 20 મિલિયન મુસાફરોને સંભાળવા બનાવવામાં આવેલી સુવિધા છે.કમળથી પ્રેરિત, ટર્મિનલમાં ભવ્ય છતનું માળખું, વિપુલ પ્રમાણમાં કુદરતી પ્રકાશ અને ટકાઉ બાંધકામ પદ્ધતિઓ અપનાવવામાં આવી છે. એરપોર્ટની અંદરમુસાફરો ઓટોમેટેડ કિઓસ્ક અને બાયોમેટ્રિક ઓળખ, વિશ્વ-સ્તરીય બેગેસ સિસ્ટમ્સ, વિસ્તૃત વેઇટિંગ લાઉન્જ અને અદ્યતન સ્કેનિંગ સાથે સ્માર્ટ સુરક્ષા લાઇનો સાથે આગામી પેઢીના ચેક-ઇન ઝોનનો અનુભવ કરશે.
NMIA એક પેસેન્જર હબ કરતાં વધુ છે. તે કાર્ગો પાવરહાઉસ બનવા તૈયાર છે.વાર્ષિક 800,000 ટનની ક્ષમતા સાથે તે ડેબ્યૂ કરશે અનેભવિષ્યના વોલ્યુમો માટે સ્કેલેબિલિટી તૈયાર કરશે. એરપોર્ટ ભારતનું સૌથી મોટું જનરલ એવિએશન ટર્મિનલ પણ હોસ્ટ કરશે, જેમાં આશરે 75 બિઝનેસ જેટ સ્ટેન્ડ, શેડ્યૂલ્ડ અને અનશેડ્યૂલ્ડ બંને કામગીરી માટે હેલિપોર્ટ રહેશે. આ ઉપરાંત અદ્યતન જાળવણી સુવિધાઓ અને અત્યાધુનિક ATC ટાવરનો સમાવેશ થાય છે, જે દરેક સ્તરે કાર્યક્ષમતા, સલામતી અને આગળના આયોજનને પ્રતિબિંબિત કરે છે.
2032 સુધીમાંNMIA ની ક્ષમતા, CSMIA ના ભાર સાથેમુંબઈને વાર્ષિક 160 મિલિયન મુસાફરોને હેન્ડલ કરશે, જે વૈશ્વિક માપદંડોની સમકક્ષ છે. આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ માત્ર ઉડ્ડયન ક્ષમતાને જ નહીં પરંતુ નવી મુંબઈ કોરિડોરમાં રોજગાર સર્જન, પર્યટન, કોર્પોરેટ રોકાણ અને રિયલ એસ્ટેટ વૃદ્ધિ સહિત વ્યાપક આર્થિક પ્રભાવને પણ ઉત્પ્રેરિત કરે છે.
NMIA પ્રસ્થાન કરવા માટે તૈયાર છે,ભવ્ય ઉદઘાટનની પળો નજીક આવી રહી છે.જે ભારતના ઉડ્ડયન ક્ષેત્ર માટે એક નવા અધ્યાયની શરૂઆત કરશે અને ઓપરેશનલ સ્કેલ, ટકાઉપણું અને મુસાફરોના આનંદના નવા ધોરણો સ્થાપિત કરશે.
