Truth of Bharat
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

Made in India’ – દેશ બન્ધુ ગુપ્તા, લુપિન અને ભારતીય ફાર્માની કહાની પર આધારીત પુસ્તકનું મુંબઈમાં વિમોચન

મુંબઈ | ૧૨મી ફેબ્રુઆરી ૨૦૨૬ — પત્રકાર અને લેખક સંદીપ ખન્ના અને ટીમલીઝ સર્વિસિસના સહ-સ્થાપક મનીષ સભરવાલ દ્વારા લખાયેલું Made in India ત્રણ અદ્વિતીય સફરોનું વર્ણન કરે છે – ભારતના ફાર્મા ઉદ્યોગનો ઉદય, લુપિનની સ્થાપના અને વિકાસ, તેમજ તેના સ્થાપક દેશ બન્ધુ ગુપ્તાનું અસાધારણ જીવનપ્રવાસ. આ ત્રણેય સફરો સાથે મળી દર્શાવે છે કે કેવી રીતે એક સમયના આયાતી દવાઓ પર સંપૂર્ણ નિર્ભર રહેલા દેશે આજે વિશ્વની ‘ફાર્મસી’ તરીકે સ્થાન મેળવ્યું છે. આ પુસ્તક જણાવે છે કે પ્રારંભિક જીવનમાં કઠિન પરિસ્થિતિઓનો સામનો કરનાર અને કોઈ ખાસ સગવડ કે પ્રોત્સાહન વગર ઉછરેલા વ્યક્તિમાં કેવી રીતે દૃઢ ઈચ્છાશક્તિ અને સંકલ્પ વિકસે છે. દેશ બન્ધુ ગુપ્તાએ કઠિન અને ક્યારેક નિષ્ઠુર પરિસ્થિતિઓમાં માર્ગ બનાવ્યો, રાષ્ટ્રીય આરોગ્ય પ્રાથમિકતાઓ અને વૈશ્વિક ધોરણોનું સંકલન કર્યું અને એક બહુ-અબજ ડોલર કંપની ઉભી કરી, જેના દવાઓ આજે 120થી વધુ દેશોમાં દર્દીઓ સુધી પહોંચે છે.

Made in India રાજસ્થાનના એક ગામના છોકરાની સફર દર્શાવે છે, જે શિક્ષક, પ્રોફેસર અને ફાર્માસ્યુટિકલ કર્મચારી તરીકે કાર્ય કર્યા બાદ 10 અબજ ડોલરની કંપનીના સ્થાપક બન્યા. આ એક એવા અનોખા ઉદ્યોગસાહસિકની કહાની છે, જેણે પોતાની ભૂમિકાઓને પાર કરીને શિક્ષણ અને નોકરી છોડીને એક સફળ કંપની ઊભી કરી, વૈશ્વિક સ્તરના ઉદ્યોગને પાંખો આપી અને રાષ્ટ્રીય સ્તરે બિઝનેસ આઈકન બન્યા છે.

ટીમલીઝ સર્વિસિસના સહ-સ્થાપક મનીષ સભરવાલ અને પત્રકાર સંદીપ ખન્ના દ્વારા સ્પષ્ટ અને નિખાલસ શબ્દોમાં લખાયેલ આ પુસ્તક સફળતાઓ સાથે નિષ્ફળતાઓ, આર્થિક સંકટો અને નેતૃત્વની વ્યક્તિગત કિંમતોનો પણ ઉલ્લેખ કરે છે. વિશ્વની સૌથી મોટી જનરિક દવા કંપનીઓમાંની એક ઊભી કરવાની પ્રક્રિયામાં સંસ્થાઓ ધીમે ધીમે બને છે, કઠિન પરીક્ષાઓમાંથી પસાર થાય છે અને ફરી દૃઢતાથી ઉભી થાય છે – તેવો આ પ્રેરણાદાયક ચિત્ર છે. પુસ્તક દેશ બન્ધુ ગુપ્તાના નમ્ર પ્રોફેસરથી ફાર્મા ક્ષેત્રના દિગ્ગજ સુધીના પરિવર્તનને જીવંત પ્રસંગો દ્વારા રજૂ કરે છે અને ભવિષ્યના નેતાઓને દૃઢતા, સંકલ્પ અને દૃષ્ટિવંત ઉદ્યોગસાહસિકતાની પ્રેરણા આપે છે.

આ પુસ્તક દેશ બન્ધુ ગુપ્તાની પત્ની મંજુ ગુપ્તાની મહત્વપૂર્ણ ભૂમિકાને પણ ઉજાગર કરે છે, જેમણે લુપિનના નિર્માણ દરમિયાન દરેક પડકાર અને સફળતામાં મહત્વનો હિસ્સો ભજવ્યો. દંપતીએ સાથે મળીને સમુદાય સેવા અને ગ્રામ વિકાસ કાર્યક્રમો પણ સ્થાપ્યા, ત્યારે લુપિન અને ભારત વૈશ્વિક સ્તરે વિશ્વસનીય ફાર્માસ્યુટિકલ સપ્લાયર તરીકે ઉભર્યા છે.

આજે ભારત ‘વિશ્વની ફાર્મસી’ તરીકે ઓળખાય છે: અમેરિકા દર વર્ષે જે 400 અબજ ગોળીઓ વાપરે છે, તેમાંની લગભગ અડધી ભારતમાંથી બને છે. વિશ્વના 60 ટકા રસીનું ઉત્પાદન પણ ભારતમાં થાય છે. અમેરિકામાં દવાઓ વેચતી 700 યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન-મંજુર કરેલ ફેક્ટરીઓમાંની એક-તૃતિયાંશ ભારત સ્થિત છે. ભારતીય ફાર્માના સહ-સર્જકો – ડૉ. યુસુફ હમીદ (સિપ્લા), અંજી રેડ્ડી (ડૉ. રેડ્ડીઝ), પરવિંદર સિંહ (રણબેક્સી), દિલીપ શાંઘવી (સન), રમણભાઈ પટેલ (ઝાયડસ-કેડિલા), હબીલ ખોરાકિવાલા (વોકહાર્ટ) અને દેશ બન્ધુ ગુપ્તા (લુપિન) – તેમની કંપનીઓના આવક, નિકાસ અથવા નફાથી પણ વધુ મહત્વ ધરાવે છે, કારણ કે તેમણે એવી દૃષ્ટિ જોઈ જે અન્ય કોઈએ નહોતી જોઈ. તેમણે મળીને ભારતની સોફ્ટ અને હાર્ડ પાવરને મજબૂત બનાવી, બહુરાષ્ટ્રીય કંપનીઓને અયોગ્ય લાભ મળે છે તેવા ભ્રમને તોડી નાખ્યો અને ભારતની નિકાસ ક્ષમતા વિશેની નિરાશાને દૂર કરી. ફાર્મા ક્ષેત્રને ભારતની સૌથી મોટી મેન્યુફેક્ચરિંગ સફળતા બનાવવામાં તેમનો મહત્ત્વનો ફાળો રહ્યો છે.

પુસ્તક વિમોચન પ્રસંગે લેખકો અને પ્રકાશકોએ પોતાની સફર શેર કરી, ત્યારબાદ “Past and Future of Indian Pharma” વિષય પર એક સમૃદ્ધ અને રસપ્રદ પેનલ ચર્ચા યોજાઈ. પેનલમાં દિલીપ શાંઘવી (સન ફાર્મા), ડૉ. યુસુફ હમીદ (સિપ્લા), જી.વી. પ્રસાદ (ડૉ. રેડ્ડીઝ), વિનિતા ગુપ્તા (લુપિન) અને પ્રોફ. એમ. એમ. શર્મા (પૂર્વ-યુડીસીટી/આઈસીટી) સહિતના આગેવાનો જોડાયા. ચર્ચામાં નેતૃત્વ, રાષ્ટ્ર નિર્માણ અને વૈશ્વિક સ્તરે આરોગ્ય સેવાઓને સસ્તી અને સુલભ બનાવવા માટે ભારતીય ફાર્મા ઉદ્યોગની ભૂમિકા અંગે મૂલ્યવાન વિચારો રજૂ થયા.

પુસ્તક અંગે પ્રશંસા :

સન ફાર્માના દિલીપ શાંઘવીએ કહ્યું, “દેશ બન્ધુ ગુપ્તા એક દૃષ્ટિવંત હતા, જેમનું હૃદય ભારત અને ભારતીય દર્દીઓ માટે ધબકતું હતું. ઉત્તમતા પ્રત્યે તેમનો અવિરત ફોકસ તેમની વ્યક્તિગત ઓળખ હતી. તેઓ અમારે સૌ માટે પ્રેરણારૂપ આદર્શ હતા અને ભારતને વિશ્વની ફાર્મસી બનાવવા મદદ કરનારા સાચા શિલ્પીઓમાંના એક હતા.”

સિપ્લાના યુસુફ હમીદે જણાવ્યું, “દેશ બન્ધુ ગુપ્તાએ અતિ નમ્ર શરૂઆતથી લુપિનનું નિર્માણ કર્યું, જે દૃઢ નિશ્ચય અને દર્દીઓની સેવા પ્રત્યેની ઊંડી પ્રતિબદ્ધતાથી માર્ગદર્શન પામેલું હતું. તેમનું જીવનપ્રવાસ માત્ર પ્રેરણાદાયક નથી, પરંતુ તે બતાવે છે કે એક વ્યક્તિનો હેતુ વિશ્વભરમાં આરોગ્ય સેવાઓને સુલભ અને સસ્તી બનાવી શકે છે.”

Made in India એ દરેક માટેનું પુસ્તક છે – જે લોકો વિશ્વમાં ભારતની ભૂમિકા વિશે વિચારતા હોય, વૈશ્વિક સ્તરે અગ્રણી ઉદ્યોગમાંથી પ્રેરણાદાયક આદર્શ શોધતા હોય, મૂલ્યવાન કંપની ઊભી કરવાની ઈચ્છા ધરાવતા ઉદ્યોગસાહસિકો અને વ્યવસાયીઓ માટે, તેમજ ભારતના યુવાનો અને તેમના માતા-પિતાઓ માટે, જે મહત્ત્વાકાંક્ષા, શોધખોળ અને દૃઢ નિશ્ચય વિકસાવવા માંગે છે.

≡≡≡ ≡≡≡ ≡≡≡ ≡≡≡

Related posts

વિદ્યા, વિનય, ગુણ, નિપુણ અને શીલ એ શિક્ષણનાં પાંચ તત્ત્વો – શ્રી મોરારિબાપુ

truthofbharat

નારાયણ સેવા સંસ્થાન દ્વારા સુરતમાં 23મી ફેબ્રુઆરીએ દિવ્યાંગો માટે મફત નારાયણ લિંબ અને કેલિપર કેમ્પનું આયોજન

truthofbharat

તમારા ઘરની અંદરની હવાની ગુણવત્તા સુધારો: Amazon.in પર એર પ્યૉરિફાયર માટે ટોચની ડીલ્સ મેળવો

truthofbharat

Leave a Comment