અમદાવાદ, ગુજરાત | ૦૮ જૂન ૨૦૨૬ | સંપત્તિ વ્યવસ્થાપન અને સલાહકાર કંપની નેક્સેજ કેપિટલે આજે અમદાવાદમાં તેની ઓફિસ શરૂ કરવાની જાહેરાત કરી, જે ઉદ્યોગ સાહસિકતા અને વ્યવસાય માલિકીનાં સૌથી ગતિશીલ કેન્દ્રોમાંના એકમાં વ્યૂહાત્મક વિસ્તરણ અને ભારતના સૌથી વિશ્વસનીય નેટવર્થ વિશ્વાસપાત્ર બનવાની સતત પ્રતિબદ્ધતા અધોરેખિત કરે છે.
આ પગલું ત્યારે આવ્યું છે જ્યારે ગુજરાતે ભારતના આર્થિક વિકાસના મુખ્ય પ્રેરક તરીકે તેની સ્થિતિ મજબૂત કરવાનું ચાલુ રાખ્યું છે. નેક્સેજ કેપિટલ અમદાવાદમાં આ પ્રારંભિક હાજરીના આધારે ગુજરાતમાં ત્રણ વધારાની ઓફિસો ખોલવાની યોજના ધરાવે છે.
દેશની વસતિના ફક્ત 5% હિસ્સો હોવા છતાં રાજ્ય ભારતની જીડીપીમાં આશરે 8.3%, ઔદ્યોગિક ઉત્પાદનમાં લગભગ 18% અને દેશની નિકાસમાં આશરે 31% ફાળો આપે છે. લગભગ 28 લાખ એમએસએમઈ (આશરે 2.8 મિલિયન) અને પ્રમોટર- આગેવાની હેઠળના વ્યવસાયો અને કૌટુંબિક સાહસોની વિશાળ એકાગ્રતા સાથે ગુજરાત ભારતના સૌથી મહત્ત્વપૂર્ણ વારસા નિયોજન બજારોમાંથી એક છે.
અમદાવાદ ઓફિસ નેક્સેજ કેપિટલને વ્યક્તિગત સંપત્તિ વ્યવસ્થાપન, રોકાણ સલાહકાર, ઉત્તરાધિકાર આયોજન અને કૌટુંબિક ઓફિસ સોલ્યુશન્સ દ્વારા ઉદ્યોગ સાહસિકો, વ્યવસાય માલિકો, વ્યાવસાયિકો અને બહુ-પેઢી પરિવારોની બદલાતી જરૂરિયાતો પૂરી કરવા સક્ષમ બનાવશે.
વિસ્તરણ વિશે
લોન્ચ પર ટિપ્પણી કરતાં નેક્સેજ કેપિટલના માર્કેટના કો- હેડ્સ વરુણ મેનન અને સંતોષ મીણાએ જણાવ્યું: “ગુજરાત ભારતના કેટલાક સૌથી સુસંસ્કૃત સંપત્તિ સર્જકોનું ઘર છે. આ એવા પરિવારો છે જેમણે પેઢીઓથી વ્યવસાયો બનાવ્યા છે અને હવે તેઓ ઉત્તરાધિકાર, વિસ્તરણ અને વારસાની આસપાસ જટિલ નિર્ણયો લઈ રહ્યા છે. આ જ સલાહકારી કાર્યનું ઊંડાણ છે જેના માટે નેક્સેજ સાકાર કરવામાં આવી હતી અને અમદાવાદ તે મહત્ત્વાકાંક્ષાનું કેન્દ્ર છે.”
નેક્સેજ કેપિટલના સહ-સંસ્થાપક પંકજ વાલિયાએ જણાવ્યું હતું કે: “આ બજારમાં મોટા ભાગની સંપત્તિ કંપનીઓ પ્રોડક્ટ વિતરણની આસપાસ બનેલી છે. નેક્સેજ સલાહની આસપાસ બનેલી છે. ગુજરાતમાં અમે જે ગ્રાહકોને સેવા આપીએ છીએ – વ્યવસાયો, રિયલ એસ્ટેટ, જાહેર બજારો અને ઉત્તરાધિકારનું સંચાલન કરતા ઉદ્યોગ સાહસિકો – તેમનાં હિતોનું સંચાલન કરતી પેઢી અને પોતાનાં હિતોનું પાલન કરતી પેઢી વચ્ચેનો તફાવત એ છે. આ તે ધોરણ છે જે અમે જાળવી રાખીએ છીએ અને તેથી જ અમે અહીં છીએ.”
અમદાવાદ ઓફિસ ભારતના મુખ્ય કૌટુંબિક સંપત્તિ સાહસ કેન્દ્રોમાં તેની હાજરીને વધુ ગાઢ બનાવવા અને લાંબા ગાળાના સંપત્તિ સંરક્ષણ, સાતત્ય અને વારસાના આયોજનમાં વિશ્વસનીય ભાગીદાર તરીકેની ભૂમિકાને મજબૂત બનાવવા માટે કંપનીની વ્યાપક વ્યૂહરચનાનો એક ભાગ બનાવે છે.
== સમાપ્ત ==
