Truth of Bharat
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

નીવ ફાઉન્ડેશન દ્વારા છ રાજ્યોમાં ‘ઈસ ગર્મી, ફર્ક નજર આયેગા’ સમર રિલીફ કેમ્પેઈન શરૂ

અમદાવાદ, ગુજરાત | ૧૯ મે ૨૦૨૬ | ભારતના મોટા ભાગોમાં તાપમાન 45 ડિ.સે.ને વટાવી રહ્યું છેત્યારે નીવ (NEEV) ફાઉન્ડેશન દ્વારા બહારીશ્રમિકો, સામાન્ય જનતા, આ મોસમની ભારે ગરમીનો ભોગ બનતાંરખડતાં પ્રાણીઓ અને પક્ષીઓને લક્ષ્ય બનાવીને મોટા પાયે ઉનાળામાં રાહતઆપતું અભિયાન “ઈસ ગર્મી, ફર્ક નજર આયેગા” શરૂ કરવામાં આવ્યું છે. આ પહેલ રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, હરિયાણા અને મહારાષ્ટ્ર સહિત છ રાજ્યોમાં શરૂ કરવામાં આવી રહી છે.

આ પહેલ પર બોલતાં, વન્ડર સિમેન્ટના ડાયરેક્ટર અને નીવ ફાઉન્ડેશનના સ્થાપક શ્રી વિવેક પટણીએ જણાવ્યું હતું કે, “ભારતનો ઉનાળો એવા લોકો માટે વધુને વધુ કઠોર બની રહ્યો છે જેઓ પોતાનો મોટાભાગનો દિવસ બહાર ખુલ્લામાંવિતાવે છે. આ ઝુંબેશ દ્વારા, અમે એવા લોકો માટે તાત્કાલિક, સુલભ રાહત આપવામાગીએછીએજેઓ વિકટ હવામાનની પરિસ્થિતિઓ છતાં આપણાં શહેરોને કાર્યરત રાખે છે. કેટલીકવાર સૌથી અર્થપૂર્ણ હસ્તક્ષેપો પણ સૌથી સરળ હોય છે, પછી ભલે તે એક ગ્લાસ પાણી, છાંયડાની એક ક્ષણ અથવા મુશ્કેલ પરિસ્થિતિઓ દરમિયાન મૂળભૂત સહાય પૂરી પાડવાની બાબતહોય.”

તેમણે ઉમેર્યું, “‘નીવની સ્થાપના એ માન્યતા પર કરવામાં આવી હતી કે સામાજિક જવાબદારી ત્યારે શરૂ થાય છે જ્યારે લોકોને મદદની સૌથી વધુ જરૂર હોય છે. અમને આશા છે કે આ ઝુંબેશ નાગરિકોને નાનાં નાનાં કાર્યોમાં ભાગ લેવા માટે પણ પ્રોત્સાહિત કરશે, જેમાં પક્ષીઓ અને રખડતાં પ્રાણીઓ માટે ઘરની બહાર પાણી રાખવાથી લઈને ઉનાળાના કાળઝાળતાપમાંડિલિવરી બોયઅને બહારખુલ્લામાંકામકરતાશ્રમિકોને મદદ કરવાનો સમાવેશ થાય છે. સામૂહિક કાર્યવાહી ઘણીવાર વ્યક્તિગત જાગૃતિથી શરૂ થાય છે. કેટલીકવાર, એક નાની શરૂઆત મોટું પરિવર્તન લાવે છે અને ક્રાંતિ શરૂ કરે છે.”

નીવફાઉન્ડેશન વધુ પડતી ભીડવાળા જાહેર વિસ્તારોમાં અને ખુલ્લામાં લાંબા સમય સુધી કામ કરતા લોકો, જેમાં ટ્રાફિક પોલીસ કર્મચારીઓ, ડિલિવરી બોયઝ, બાંધકામ શ્રમિકો, શેરી વિક્રેતાઓ અને ઓટોરિક્ષા ડ્રાઇવરોનો સમાવેશ થાય છે, ત્યાં સ્વચ્છ, ઠંડું પીવાનું પાણી પહોંચાડવા માટે 60રિલીફવેનતહેનાત કરી રહ્યું છે. પાણીની સાથે, વેન ગરમીના સંપર્કમાં આવવાથી બચવા અને વધુ પડતા પરસેવાથી ઓછાંથતાં ખનિજોનીભરપાઈકરવા મદદરૂપથવામાટે ઓઆરએસપાઉચ અને રક્ષણાત્મક કેપ્સનું વિતરણ કરશે.

સંકટ માનવ કલ્યાણથી આગળ વધે છે તે સ્વીકારતાં, ફાઉન્ડેશને રખડતાં પ્રાણીઓ માટે પાણીની ટાંકીઓ સ્થાપિત કરી છે અને અનેક સ્થળોએ પક્ષીઓ માટે ફીડર અને પાણીની ટ્રે મૂકી છે. આ ઝુંબેશ સુલભતા અને સહાનુભૂતિના સરળ વિચાર પર આધારિત છે. ફાઉન્ડેશન તેનું આરીતેવર્ણન કરે છે: “તરસ્યા હંમેશાં કૂવા પાસે આવે છે. આ ઉનાળામાં, અમે કૂવાને તરસ્યા લોકો સુધી લઈ જવાનું નક્કી કર્યું છે.”

આ ઝુંબેશ એક ઇરાદાપૂર્વક જાહેર ગતિશીલતાનો ઉદ્દેશ ધરાવે છે, જે એવા સમયે ગરમીમાં રાહતમાં સમુદાયની ભાગીદારીને વધુ ગાઢ બનાવવાનો પ્રયાસ કરે છે જ્યારે શહેરી અને ગ્રામીણ ભારતમાં વધતું તાપમાન સતત પડકાર તરીકે ઊભરી રહ્યું છે.

મોસમી પ્રયાસ વ્યાપક વિકાસ જનાધારનો એક ભાગ છે. નિમ્બાહેરામાં નીવફાઉન્ડેશનનું ગ્રામીણ વિકાસ કેન્દ્ર તેના લાંબા ગાળાના કાર્યને એન્કર કરે છે, જે હુન્નર કાર્યક્રમ હેઠળ મહિલાઓ માટે કૌશલ્ય વિકાસ, સંરચના દ્વારા સમુદાય માળખાગત સુવિધા, ઉડાન હેઠળ શૈક્ષણિક સહાય, આરોગ્યમ દ્વારા આરોગ્યસંભાળ પહોંચ અને ઇકો ગ્રીન હેઠળ સક્ષમતા પહેલનો સમાવેશ કરે છે.

“ઇસ ગર્મી, ફર્ક નજર આયેગા” સાથે, ફાઉન્ડેશન એક એવા મુદ્દાને દર્શાવવાનો પ્રયાસ કરે છે જે કટોકટી દરમિયાન સીધો પણ અવગણવો સરળ છે: નિર્દેશિત કરુણા, મોટા પાયે ઉપયોગમાં લેવાતી, તાજેતરનાં વર્ષોમાં ભારતના સૌથી કઠોર ઉનાળાના સૌથી વધુ સંપર્કમાં રહેલા લોકો માટે મૂર્ત રાહત લાવી શકે છે.

Related posts

નોસિલ લિમિટેડ રૂ. 250 કરોડના દહેજ વિસ્તરણ સાથે ભારતની આત્મનિર્ભરતા પ્રેરિત કરે છે, જે રબર રસાયણની ક્ષમતા પૂરતી મજબૂત બનાવે છે

truthofbharat

વિશ્વ રંગભૂમિ દિન પર્વે રંગભૂમિનાં પીઢ તથા યુવા કલાકારોને વિશાલા તથા વિચાર ટ્રસ્ટ દ્વારા સન્માનિત કરવામાં આવ્યાં

truthofbharat

મેઘાલયના ખાણ દુર્ધટનામાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

truthofbharat

Leave a Comment