Truth of Bharat
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

સેવ અર્થ મિશનના અધ્યક્ષ સંદીપ ચૌધરીએ એર ઇન્ડિયા AI 171 વિમાન દુર્ઘટનાનું અનોખું ડિકોડિંગ કરી વિશ્વને ચોંકાવી દીધા

ગુજરાત, અમદાવાદ | ૦૯ જુલાઈ ૨૦૨૫: “આપણે પર્યાવરણનું સંરક્ષણ કરવું જોઈએ, મનુષ્ય તરીકે જીવવું જોઈએ અને પૈસા પાછળ દોડવાનું બંધ કરવું જોઈએ. હા, વિમાન દુર્ઘટનાની ઔપચારિક તપાસ ચાલી રહી છે, પરંતુ આ એ સત્ય પણ છે જેનો આપણે સામનો કરવો જ જોઈએ.” સેવ અર્થ મિશનના ઇન્ડિયા ચેપ્ટરના પ્રમુખ સંદીપચૌધરીના આ શબ્દોએ એક અસાધારણ ઘટનાનો સૂર સેટ કર્યો, જ્યાં તેમણે તાજેતરના એર ઇન્ડિયા ફ્લાઇટ AI 171 ક્રેશને સ્ટેજ પર લાઇવ ત્રણ મિનિટથી ઓછા સમયમાં ડીકોડ કરીને પ્રેક્ષકોને આશ્ચર્યચકિત કર્યા.

ચૌધરી, જેઓ લાંબા સમયથી એક અગ્રણી પર્યાવરણવાદી અને વિચારક તરીકે જાણીતા છે, તેમણે અંકશાસ્ત્ર, બ્રહ્માંડ સિદ્ધાંત અને પેટર્નરેકગ્નિશનનામિશ્રણનો ઉપયોગ કરીને જેને તેઓ “સંખ્યાઓ દ્વારા સાર્વત્રિક સંચાર” તરીકે વર્ણવે છે તે રજૂ કર્યું.

તેમનું વિશ્લેષણ, જેમાં ફ્લાઇટની સંખ્યા, દુર્ઘટનાની તારીખ અને સમયને જોડીને કેટલાક પ્રતિકૂળલાગતાઘટકો સાથે એક સરળ પણ શક્તિશાળી પૅટર્ન દર્શાવવામાં આવ્યો છે, જે દુનિયાભરના વૈજ્ઞાનિકો, આધ્યાત્મિકો અને સામાન્ય જનતામાં ભારે ચર્ચાનું વિષય બની ગયું છે.

શ્રી ચૌધરીએ જણાવ્યું હતું કે આ દુર્ઘટના અરાજકતા નહોતી, આ એક કોડ હતો. બ્રહ્માંડ આંકડા, અવૃત્તિ અને ઊર્જા દ્વારા વાત કરે છે. AI171ની દુર્ઘટના માત્ર ટેકનિકલ ભૂલ નહીં, પરંતુ એક બ્રહ્માંડીય સંકેત હતી, અને મેં તે તરત જ સંખ્યાઓમાં જોઈ લીધી.

શ્રી ચૌધરી દ્વારા રજૂ થયેલા કેટલાક આંકડાકીય પૅટર્ન:

દુર્ઘટનાની તારીખ: 12/06/2025

1 + 2 = 3, 0 + 6 = 6, 2 + 0 + 2 + 5 = 9

છુપાયેલ ક્રમ: 3 – 6 – 9.

ફ્લાઇટ નંબર AI171: 1 + 7 + 1 = 9, જે કર્મપૂર્ણતાનું પ્રતીક છે.

દુર્ઘટનાનો  સમય: બપોરે 1:38  કલાકે. 1 + 3 + 8 = 12 અને 1 + 2 = 3.

શ્રી ચૌધરીએAI171 ફ્લાઇટ સાથે જોડાયેલા ત્રણ ચમત્કારીક સંકેતો વિશે પણ જણાવ્યું, જેમાં એક ભગવદ ગીતા સુરક્ષિત રહી ગઈ હતી, એક મુસાફર જીવિત બચી ગયો હતો અને એક વ્યક્તિ ફ્લાઇટ મિસ કરી ગઈ હતી. તેમણે કહ્યું કે 1 + 1 + 1 = 3, જે એક દિવ્ય ત્રિમૂર્તિ તરફ સંકેત આપે છે.

આ ઉપરાંત એમણે જણાવ્યું કે વિમાનનુંગંતવ્યલંડન હતું (અંગ્રેજીમાં 6અક્ષરો) અને ઉદગમ અમદાવાદ હતું (અંગ્રેજીમાં 9અક્ષરો). તેમનું અનુસંધાન હતું: 3 (સંકેત) – 6 (લંડન) – 9 (અમદાવાદ).

તેમણે આગળ કહ્યું, “જ્યારે આંકડાઓ આ રીતે ગોઠવાય છે, ત્યારે એ સંયોગ નથી, સંવાદ છે. આ એક સામાન્ય વિમાની દુર્ઘટના નહોતી, પણ બ્રહ્માંડ તરફથી પૃથ્વીને અપાયેલ સંદેશ હતો. તે દરેક માણસ માટે એક આંતરિક શોધ અને જાગૃતિનોઆહ્વાન છે.”

આ લાઇવ ડિકોડિંગ હવે એક વૈશ્વિક ઘટના બની ગયું છે. #AI171DecodedBySandeep હેશટૅગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર ટ્રેન્ડ કરી રહ્યો છે અને લાખો લોકો તેમાં જોડાઈ રહ્યાં છે.

Related posts

1441 ભારતીય શહેરો અને 109 દેશમાં વૈશ્વિક સ્તરે 834 શહેરોમાં છ દિવસ માટે પ્રોપર્ટી બુક કરાઈઃ મેકમાયટ્રિપનું ‘ટ્રાવેલ કા મુહૂરત’ ભારતની વિસ્તરતી પ્રવાસની પહોંચનું માપન કરે છે

truthofbharat

જે વાણીની પાછળ અર્થ દોડે એ સાધુવાણી-ઋષિવાણી કહેવાય અને અર્થની પાછળ જે વાણી દોડે એ અસાધુ વાણી છે.

truthofbharat

આજે વિશ્વમાં ધર્મ ટકી રહ્યો છે, તે ભારતને કારણે છે, આરએસએસ નેતા સુરેશ ભૈયાજી જોષીએ બરસાનામાં મોરારી બાપુની કથામાં કહ્યું

truthofbharat