Truth of Bharat
ગુજરાતધાર્મિકભારત સરકારરાષ્ટ્રીયહેડલાઇન

પૂજ્ય મોરારી બાપૂએ આતંકવાદના ખાત્મા માટે દેશવાસીઓને અભિનંદન આપ્યાં

નંદપ્રયાગ, ઉત્તરાખંડ ૦૭ મે ૨૦૨૫: પરમ પૂજ્ય મોરારી બાપૂએ ભારતીય સેનાની ત્રણેય પાંખને આતંકવાદના નાશ માટે મોડીરાત્રે હાથ ધરાયેલા સફળ ઓપરેશન બદલ અભિનંદન પાઠવ્યાં હતાં. બાપૂએ તેમની વ્યાસપીઠ ઉપરથી કહ્યું હતું કે આતંકવાદના નાશ માટે મોડી રાત્રે 1થી2 વાગ્યા વચ્ચે આ પ્રયોગ (ઓપરેશન) કરાયો હતો. હું તેના માટે આપણા વીર, ધીર અને ગંભીર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, રક્ષામંત્રી રાજનાથ સિંહ અને ગૃહમંત્રી અમિતભાઇ શાહ સાથે સમગ્ર કેબિનેટને અભિનંદન પાઠવું છું. તેમણે દેશની જનતાને પણ શુભેચ્છા પાઠવતા કહ્યું હતું કે, સેના દ્વારા કરાયેલી કામગીરી કોઇ દેશ, તેની સેના ઉપર નથી, માત્રને માત્ર આતંકવાદ અને આતંકવાદના આકાઓ ઉપર છે. ફરી એકવાર દરેકને અભિનંદન.

Related posts

ફિટનેસને પ્રોત્સાહન આપવા, આરોગ્ય પ્રત્યે જાગૃતિ લાવવા માટે સૌપ્રથમ “ઇસ્ટ અમદાવાદ હાફ મેરેથોન” યોજાઈ

truthofbharat

હેમ્પોરિયો બાય ફ્રેન્ડ્સ કાર્ડ્સે IIFA 2025 જયપુર માટે વૈભવી ઇન્વિટેશન કાર્ડનું અનાવરણ કર્યું

truthofbharat

સોની બીબીસી અર્થ રાકેશ ખત્રીને અર્થ ચેમ્પિયન તરીકે સન્માનિત કરે છે

truthofbharat

Leave a Comment