Truth of Bharat
અવેરનેસગરબાગુજરાતરાષ્ટ્રીયહેડલાઇનહેલ્થકેર

ONCOWIN કેન્સર સેન્ટર દ્વારા શક્તિ અને આશાની ઊજવણી નિમિત્તે ‘પિંક રાત્રી’ ગરબાનું આયોજન કરવામાં આવ્યું.

ગુજરાત, અમદાવાદ | ૦૫ ઓક્ટોબર ૨૦૨૫: કેન્સરની સારવાર અને રક્ત રોગ વ્યવસ્થાપન માટે ગુજરાતની અગ્રણી સંસ્થાઓમાંની એક, ONCOWIN કેન્સર સેન્ટર દ્વારા જીવન, આનંદ અને આશાની ઉજવણી કરવા માટે રવિવારે ‘પિંક રાત્રી’ શીર્ષક હેઠળ વિશેષ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ ઉત્સાહપૂર્ણ સાંજે કેન્સરના દર્દીઓ, સર્વાઈવર્સ, ડોક્ટરો, પરિવારો અને શુભેચ્છકોને એકસાથે લાવીને તહેવારોની ખુશીને કેન્સરની જાગૃતિના મહત્ત્વપૂર્ણ સંદેશ સાથે જોડીને એક યાદગાર ઉજવણી કરી હતી.
પ્રખ્યાત ગાયક અને સંગીતકાર રાગ મહેતાના જીવંત પ્રદર્શનથી ઉત્સાહ અને સકારાત્મકતાના વાતાવરણમાં વધારો થયો હતો.

આ પહેલ વિશે વાત કરતાં, ONCOWIN કેન્સર સેન્ટરના સહ-સ્થાપક અને મેડિકલ ઓન્કોલોજિસ્ટ ડૉ. ઋષભ કોઠારીએ જણાવ્યું હતું કે, “પિંક રાત્રિએ અમને અમારા દર્દીઓ અને તેમના પરિવારો સાથે મળીને જીવન, શક્તિ અને આશાની ઉજવણી કરવાની તક આપી. નવરાત્રીની ઉજવણીની સાથે, અમારો હેતુ કેન્સર વિશે જાગૃતિ, વહેલી તપાસ અને નિયમિત તપાસના મહત્ત્વ પર ભાર મૂકવાનો હતો. આનાથી અમને હાલમાં સારવાર લઈ રહેલા લોકોને ટેકો આપવાનો પણ અવસર મળ્યો. ONCOWIN ખાતે, અમે માનીએ છીએ કે સારવાર માત્ર તબીબી સારવારથી આગળ છે અને તે પ્રોત્સાહન તેમજ સકારાત્મકતા ફેલાવવાની પણ બાબત છે. આ સાંજને યાદગાર બનાવવામાં જે કોઈ પણ અમારી સાથે જોડાયા, તે સૌનો અમે આભાર માનીએ છીએ.”

‘પિંક રાત્રી’ એ ONCOWIN કેન્સર સેન્ટરના સમુદાય જોડાણ દ્વારા કેન્સર જાગૃતિને પ્રોત્સાહન આપવાના પ્રયાસોનો એક ભાગ છે. આ કાર્યક્રમનો હેતુ લોકોને યાદ કરાવવાનો હતો કે સમયસર નિદાન અને અસરકારક સારવાર કેન્સરનું વ્યવસ્થાપન કરવામાં અને તેના પર વિજય મેળવવામાં પણ મદદ કરી શકે છે.

ONCOWIN કેન્સર સેન્ટર તેના વ્યાપક અને દર્દી- કેન્દ્રિત અભિગમ માટે જાણીતું છે. આ સેન્ટર સંપૂર્ણ શ્રેણીની સેવાઓ પ્રદાન કરે છે, જેમાં કેમોથેરાપી, ઇમ્યુનોથેરાપી, ટાર્ગેટેડ થેરાપી, કાર ટી સેલ થેરાપી, બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ, પીડિયાટ્રિક હેમેટોલોજી અને ઓન્કોલોજી, ઇન્ટ્રાથેકલ કેમોથેરાપી અને પેલીએટીવ કેરનો સમાવેશ થાય છે. તે ઉપરાંત, તે કેન્સર સ્ક્રીનિંગ, જિનેટિક કાઉન્સેલિંગ અને ટેસ્ટિંગ, પ્રિવેન્ટિવ ઓન્કોલોજી, ડે કેર અને ઇનપેશન્ટ સારવાર, ઓન્કોપેથોલોજી, પોષણ સહાય પીડા વ્યવસ્થાપન અને રસીકરણ સેવાઓ પણ પૂરી પાડે છે.

Related posts

લાઈફલાઇન હોસ્પિટલ દ્વારા અમદાવાદમાં “ઉત્કર્ષ” કાર્યક્રમનું આયોજન – તંદુરસ્ત ભવિષ્ય તરફ ખુશહાલ પગલાં

truthofbharat

PM મોદીના જનમદિનની પૂર્વ સંધ્યાએ સમગ્ર ગુજરાતમાં ૩૭૮ સ્થળોએ રક્તદાન શિબિરનું આયોજન કરાશે

truthofbharat

કથાનું કામ છે સ્વાદ અને પ્રસાદ આપવો.

truthofbharat