ઝડપી રિફંડ, પ્રક્રિયાઓનું સરળીકરણ અને આંતરરાજ્ય વ્યાપાર વિસ્તરણને સરળ બનાવવા માટે સુધારાની માંગ કરવામાં આવી
અમદાવાદ, ગુજરાત | ૦૮ એપ્રિલ ૨૦૨૬ — અમદાવાદમાં ઇન્ડિયા એસએમઇ ફોરમ (આઇએસએફ) દ્વારા આયોજિત ‘જીએસટી સંવાદ’ પરામર્શ દરમિયાન, એમએસએમઈ એકમો અને ઉદ્યોગના હિતધારકોએ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) માળખા હેઠળના મુખ્ય માળખાગત અને કાર્યકારી પડકારો પર ભાર મૂક્યો હતો. આ કાર્યક્રમમાં ઝડપી રિફંડ, સરળ પાલન પ્રક્રિયાઓ અને આંતરરાજ્ય વ્યાપાર વિસ્તરણને સરળ બનાવવા માટે સુધારા કરવાની માંગ કરવામાં આવી હતી.
આ પરામર્શમાં જીએસટી (જીએસટી) ના વરિષ્ઠ અધિકારીઓ, નીતિ ઘડવૈયાઓ અને એમએસએમઈ પ્રતિનિધિઓ એકઠા થયા હતા, જેમાં જમીની સ્તરના અમલીકરણના પડકારો અને ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસ વધારવા માટેના વ્યવહારુ નીતિ વિષયક હસ્તક્ષેપો પર કેન્દ્રિત ચર્ચા કરવામાં આવી હતી. આ પરામર્શમાં ઉપસ્થિત વરિષ્ઠ અધિકારીઓમાં શ્રી અનુપ કુમાર શર્મા (IRS, કમિશનર, સેન્ટ્રલ જીએસટી અને સેન્ટ્રલ એક્સાઇઝ), શ્રી વિશાલ માલાણી (IRS, એડિશનલ કમિશનર, CGST, અમદાવાદ ઝોન), શ્રી બી. એમ. જોગરાજીયા (ડેપ્યુટી કમિશનર, રાજ્ય વેરા વિભાગ, ગુજરાત) અને શ્રી બી. આર. ડાંગર (આસિસ્ટન્ટ કમિશનર, રાજ્ય વેરા વિભાગ, ગુજરાત) નો સમાવેશ થાય છે.
એમએસએમઈ સહભાગીઓએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, જોકે જીએસટી એ પરોક્ષ કરવેરાને સુવ્યવસ્થિત કર્યા છે, પરંતુ અમલીકરણમાં રહેલી કેટલીક ખામીઓ નાના વ્યવસાયો માટે અપ્રમાણસર કમ્પ્લાયન્સ અને વર્કિંગ કેપિટલનો બોજ ઊભો કરી રહી છે. એક મુખ્ય ચિંતા રાજ્યવાર રજિસ્ટ્રેશનની આવશ્યકતા હતી, જે નાના વિક્રેતાઓને દરેક સંચાલન રાજ્યમાં ભૌતિક હાજરી સ્થાપિત કરવા માટે મજબૂર કરે છે. સહભાગીઓએ ધ્યાન દોર્યું કે આનાથી ઓફિસ ભાડે રાખવી, સ્ટાફની ભરતી કરવી અને વારંવાર ભૌતિક વેરિફિકેશન પ્રક્રિયાઓમાંથી પસાર થવા જેવા બિનજરૂરી ખર્ચ થાય છે – જે ઘણીવાર રજિસ્ટ્રેશનમાં નિર્ધારિત ૨-૩ અઠવાડિયાથી વધારીને બે મહિનાથી વધુનો વિલંબ કરે છે, અને એમએસએમઈ ની રાષ્ટ્રીય સ્તરે વિસ્તરણ કરવાની ક્ષમતાને મર્યાદિત કરે છે.
બીજો વ્યાપકપણે ચર્ચાતો મુદ્દો ઇનવર્ટેડ ડ્યુટી સ્ટ્રક્ચર ને કારણે ઉદ્ભવતા વર્કિંગ કેપિટલ ના દબાણનો હતો, જ્યાં આઉટપુટ માલની સરખામણીમાં ઇનપુટ સેવાઓ પર વધુ ટેક્સ હોવાથી ઇનપુટ ટેક્સ ક્રેડિટ (આઇટીસી) જમા થાય છે અને તેના રિફંડના માર્ગો મર્યાદિત હોય છે. આ સમસ્યા, તેમજ આઇટીસી અને ટીસીએસ રિફંડમાં થતા વિલંબને કારણે રોકડની અછત સર્જાય છે, જે ખાસ કરીને ઓછા નફા પર કામ કરતા નાના વ્યવસાયો માટે મોટી મર્યાદા હોવાનું જણાવાયું હતું.
વધારાની ચિંતાઓમાં જીએસટી રિટર્ન્સમાં સમાધાન ની જટિલતાઓ, નાની ભૂલોને કારણે મળતી ઓટોમેટેડ નોટિસ, વેન્ડરના પાલન ન કરવાના જોખમો જે આઇટીસી મેળવવાની ક્ષમતાને અસર કરે છે, રજિસ્ટ્રેશન મંજૂરીઓમાં વિલંબ, અને દસ્તાવેજોની મામૂલી ભૂલોને કારણે માલ જપ્ત થવાથી સપ્લાય ચેઇનમાં આવતા અવરોધોનો સમાવેશ થાય છે.
સભાને સંબોધતા શ્રી અનુપ કુમાર શર્માએ જણાવ્યું હતું કે, “એમએસએમઈ અને ઉદ્યોગના સહભાગીઓ દ્વારા ઉઠાવવામાં આવેલી ચિંતાઓ અમારા માટે મહત્વપૂર્ણ ઇનપુટ્સ છે. જીએસટી સંવાદ જેવા પ્લેટફોર્મ આપણને જમીની સ્તરે સામનો કરવામાં આવતા પડકારો સીધા સાંભળવાની તક આપે છે. 2017માં તેની શરૂઆત થઈ ત્યારથી જીએસટી સિસ્ટમ નોંધપાત્ર રીતે વિકસી છે અને હવે મોટાભાગની પ્રક્રિયાઓ ડિજિટલ છે, તેમ છતાં અમે સ્વીકારીએ છીએ કે કાર્યકારી મુદ્દાઓ અને સિસ્ટમ સંબંધિત પડકારો ચાલુ રહી શકે છે. અમે કરદાતાઓને આવી ચિંતાઓ શેર કરવા માટે પ્રોત્સાહિત કરીએ છીએ, અને અમે આજે ચર્ચા કરેલા સૂચનોની તપાસ કરીશું જેથી કરીને સાચા કરદાતાઓને ટેકો મળે અને પાલન મજબૂત રહે તેની ખાતરી કરવાની સાથે જીએસટી ઇકોસિસ્ટમને વધુ મજબૂત બનાવી શકાય.”
ઈન્ડિયા એસએમઇ ફોરમના પ્રેસિડેન્ટ વિનોદ કુમારે જીએસટીની સંપૂર્ણ ક્ષમતાનો ઉપયોગ કરવા માટે નીતિ-નિર્માતાઓ અને ઉદ્યોગો વચ્ચે સતત સંવાદની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, “એમએસએમઈ ‘એક રાષ્ટ્ર, એક ટેક્સ’ ના મજબૂત સમર્થક રહ્યા છે, અને જીએસટીએ નિઃશંકપણે એકીકૃત બજારના નિર્માણને સક્ષમ બનાવ્યું છે. જોકે, અમલીકરણના પડકારો – ખાસ કરીને રિફંડ, કમ્પ્લાયન્સ ની જટિલતા અને વર્કિંગ કેપિટલ અટવાઈ જવા બાબતે – નાના વ્યવસાયોને અસર કરવાનું ચાલુ રાખે છે. વ્યાપાર કરવાની સરળતા ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસ સુધારવા અને એમએસએમઈ ને વિસ્તરણ કરવા માટે સરળ રજિસ્ટ્રેશન માળખું, ઝડપી રિફંડ પ્રક્રિયા અને પ્રક્રિયાગત અવરોધોમાં ઘટાડો જેવા માળખાગત સુધારા અત્યંત મહત્વના રહેશે.”
તેમણે ઉમેર્યું હતું કે, જીએસટી સંવાદ જેવા પ્લેટફોર્મ જમીની સ્તરના પડકારોને અમલી બનાવી શકાય તેવા નીતિ વિષયક ઇનપુટ્સમાં રૂપાંતરિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે, જે વધુ પ્રતિભાવશીલ અને વ્યબિઝનેસ-ફ્રેન્ડલી ટેક્સ ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપે છે.
