ગુજરાત, અમદાવાદ | ૧૩મી નવેમ્બર ૨૦૨૫ — ૧૦ નવેમ્બરની સાંજે, દેશની રાજધાની દિલ્હીમાં લાલ કિલ્લા પાસે એક કાર બોમ્બ વિસ્ફોટ થયો, જેમાં ૧૨ નિર્દોષ લોકોના દુઃખદ મોત થયા.
આધ્યાત્મિક ગુરુ અને કથાકાર પૂજ્ય મોરારી બાપુએ આ રાષ્ટ્ર વિરોધી ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું અને મૃતકોને શ્રદ્ધાંજલિ આપી છે.
મૃતકોનાપરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતા, પૂજ્ય મોરારી બાપુએ તાત્કાલિક સહાય તરીકે દિલ્હી મુખ્યમંત્રી રાહત ભંડોળમાં ₹180,000 નું દાન કર્યું છે. આ નાણાકીય સહાય મુંબઈમાંરામકથાના શ્રોતા વરુણ ભાઈ દ્વારા મોકલવામાં આવશે.
પૂજ્ય બાપુએ તમામ દેશવાસીઓને ભવિષ્યમાં સતર્ક રહેવા અને આ મુશ્કેલ સમયમાં એકતા જાળવવા અપીલ કરી. તેમણે આ દુ:ખદ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી.
