ગુજરાત | ૦૭ એપ્રિલ ૨૦૨૬ — ગઈકાલે તા. 06/04/2026 ના પોરબંદર ના એરપોર્ટ નજીક બે બાઈક વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ચાર આશાસ્પદ યુવાનોના કરુણ મૃત્યુ નિપજયા હતાં . આ સમાચાર પેપરમાં વાંચ્યા બાદ પૂજ્ય મોરારીબાપુએ ચારે મૃતક યુવાનો પ્રતિ એમની સંવેદના વ્યક્ત કરી પ્રત્યેક મૃતકને રૂપિયા 15,000 લેખે કુલ 60 હજાર રૂપિયાની હનુમંત સંવેદના સહાયતા રાશિ પ્રેષિત કરેલ છે. પોરબંદર સ્થિત રામકથાના શ્રોતા દ્વારા આજે રૂબરૂ જઈને ચારેય મૃતક યુવાનોના પરિજનોને આ સંવેદના રાશિ પહોંચતી કરવામાં આવી રહી છે. ચારેય મૃતકોના નિર્વાણ માટે પૂજ્ય બાપુએ શ્રી હનુમાનજી ના ચરણોમાં પ્રાર્થના કરી છે અને તેના પરિજનોને દિલસોજી પાઠવી છે.
