Truth of Bharat
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

કુશલ ધામએ બીએનઆઈ પ્રોમિથિયસના પ્રેસિડેન્ટ તરીકેનો કાર્યભાર સંભાળ્યો

સૌરભ પંચાલ અને ગજાનન પવાર એ અનુક્રમે વાઇસ પ્રેસિડેન્ટ અને સેક્રેટરી/ટ્રેઝરર તરીકેનો હોદ્દો સંભાળ્યો

ગુજરાત, અમદાવાદ ૦૪ એપ્રિલ ૨૦૨૫: બીએનઆઈ પ્રોમિથિયસ, જે બીએનઆઈ અમદાવાદના ટોચના પ્રકરણોમાંનું એક છે અને વિશ્વની અગ્રણી બિઝનેસ રેફરલ ઓર્ગેનાઈઝેશન, બિઝનેસ નેટવર્ક ઇન્ટરનેશનલનો એક ભાગ છે, ત્યાં એક નવી લીડરશીપ ટીમે કમાન સંભાળી છે.

કુશલ ધામ એ  હેલી ગઢેચા પાસેથી બીએનઆઈ પ્રોમિથિયસના પ્રેસિડેન્ટ તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે. સત્યેન રાવલની જગ્યાએ સૌરભ પંચાલને વાઇસ પ્રેસિડેન્ટ બનાવવામાં આવ્યા છે, જ્યારે શૈલી પટેલ પાસેથી ગજાનન પવારે સેક્રેટરી/ટ્રેઝરર તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે. આ નેતૃત્વ ટીમનો કાર્યકાળ છ મહિનાનો રહેશે.

કુશલ ધામની કંપની સાઉન્ડસ્ફિયર ઓડિયો વીડિયો એન્ડ કન્ટ્રોલ સોલ્યુશન્સમાં છે, જ્યારે સૌરભ પંચાલની યોર ઈ-લોકર નેક્સ્ટ જનરેશન ડોક્યુમેન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ છે. ગજાનન પવાર ગેમિફાઇડ કોર્પોરેટ ટીમ બિલ્ડિંગમાં છે અને તેમની કંપનીનું નામ ક્રીડા તંત્ર છે.

“અમે બીએનઆઈ પ્રોમેથ્યુઅસના સભ્યોનો અમારામાં વિશ્વાસ મૂકવા અને અમને આ પ્રકરણનું નેતૃત્વ કરવાની તક આપવા બદલ ખૂબ જ આભારી છીએ. બીએનઆઈ પ્રોમિથિયસ પહેલેથી જ એક હેપનિંગ પ્લેસ છે, અને અમે આ ચેપ્ટરને નવી ઊંચાઈએ લઈ જવા માટે અમારા શ્રેષ્ઠ પ્રયાસો કરીશું.

આપણું વિઝન સિનર્જી, વ્યૂહરચના અને સફળતા ત્રણ સ્તંભો પર બનેલું છે. અમે ચેપ્ટરની વિઝિબિલિટી સુધારવા, સભ્યોના અનુભવને વધુ સારું બનાવવા અને નેટવર્કિંગની તકોને દરેક માટે વધુ બિઝનેસમાં રૂપાંતરિત કરવા પર અમે અમારી એનર્જીસ કેન્દ્રિત કરીશું ,” એમ ચેપ્ટરના પ્રેસિડેન્ટ તરીકેનો કાર્યભાર સંભાળ્યા પછી કુશલ ધામ એ જણાવ્યું હતું.

નવી લીડરશીપ ટીમે પોતાના માટે ચેલેંજિંગ ગોલ્સ નક્કી કર્યા છે.  તેઓ 3200 થી વધુ વન-ટુ-વન બેઠકો, 4200 બિઝનેસ રેફરલ્સ, 75 વિઝિટર્સ અને ચેપ્ટરના મેમ્બરશિપ નો બેઝ 101 સુધી વધારવાનું ટાર્ગેટ રાખી રહ્યા છે. તેણે આગામી છ મહિનામાં રૂ. ૪૨ કરોડનો બિઝનેસ પ્રાપ્ત કરવાનો ગોલ પણ નક્કી કર્યો છે. – એમ સૌરભ પંચાલે જણાવ્યું હતું.

બીએનઆઈ પ્રોમિથિયસ ચેપ્ટરના સભ્યો આઇટી, ટ્રાવેલ, એડવર્ટાઇઝિંગ, કન્સ્ટ્રક્શન, ફાઇનાન્સ, રિટેલ, હેલ્થ , એમ્પ્લોયમેન્ટ , મેન્યુફેક્ચરિંગ, રિયલ એસ્ટેટ, ઓટોમોબાઇલ્સ, ફૂડ અને બેવરેજ અને અન્ય સેગમેન્ટમાં હાજરી ધરાવે છે. આ ચેપ્ટરે છેલ્લા દસ વર્ષમાં આશરે રૂ. ૪૯૦ કરોડનો વ્યવસાય કર્યો છે.

Related posts

કોલકાતા થંડરબ્લેડ્સ UTT સીઝન6માં સમાવશે, એક્શન PBG એક નવા અવતારમાં જોવા મળશે

truthofbharat

આબરા કા ડબરા કિડ્સ કાર્નિવલના પ્રથમ દિવસે 5,000 થી વધુ મુલાકાતીઓ આકર્ષાયા હતા

truthofbharat

શ્રીનાથ પેપર પ્રોડક્ટ્સ લિમિટેડનો રૂ. 23.36 કરોડનો IPO 25 ફેબ્રુઆરી, 2025 ના રોજ સબસ્ક્રિપ્શન માટે ખુલશે

truthofbharat

Leave a Comment