Truth of Bharat
ગુજરાતધાર્મિકબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

એલેક્ષા પ્રોપર્ટી હબ દ્વારા ડભોડા હનુમાન મંદિરે શરબતનું વિતરણ

ગુજરાત, અમદાવાદ ૧૨ એપ્રિલ ૨૦૨૫: ગતરોજ હનુમાન જન્મ મહોત્સવ નિમિતે અલગ અલગ જગ્યા એ અલગ અલગ દાતાઓ દ્વારા છાસ, શરબત, પાણી, ખીચડી -કઢીનું મફત વેચાણ કરવામાં આવેલુ હતું. જેમાં અમદાવાદના નરોડામાં આવેલ એલેક્ષા ફાઉન્ડેશન અને એલેક્ષા પ્રોપર્ટી હબ તરફથી ડભોડા હનુમાન મંદિર ખાતે મફત શરબતનું વિતરણ રાખવામાં આવેલું હતું.

એલેક્ષા પ્રોપર્ટી હબના સંકેત ત્રિવેદીએ જણાવ્યું હતું કે તેઓ છેલ્લા એક 1 વર્ષથી સેવાના ભાગ રૂપે અલગ અલગ સેવાના કામ કરતા રહેતા હોય છે. જેમકે ગરીબોને જમાડવું, ગરીબોમાં કપડાનું વિતરણ કરવું, શિયાળા દરમિયાન જરૂરિયાતમંદ લોકોને ઓઢવાનું તેમજ પાથરવાનું આપવું વગેરે જેવા સેવાના કાર્યો કરતા રહે છે.

આજે એલેક્ષા ફાઉન્ડેશન અને એલેક્ષા પ્રોપર્ટી હબની ટીમ તરફથી ડભોડા ગામે હનુમાન જન્મ મહોત્સવ નિમિત્તે મફત શરબતનું આયોજન કરવામાં આવેલું હતું. જેમાં ડભોડા હનુમાન મંદિરે દર્શનાથે આવેલા ભાવિક ભક્તોએ ગરમીમાં આ શરબતનો લાભ લીધો હતો.

Related posts

‘’અસાધારણ ખલાસી બાદ, આદિત્ય ગઢવી આ તહેવારની સિઝનમાં કોક સ્ટુડીયો ભારતમાં મીઠા ખારા લાવી રહ્યા છે”

truthofbharat

ટ્રોપિકલ એગ્રોએ TAG FLY GOLD રજૂ કર્યું — ચૂસક કીટકો અને બોરરો પર ઉત્તમ નિયંત્રણ માટેની ઊંચી અસરકારકતા ધરાવતી ટેકનોલોજી

truthofbharat

ઈન્ડિયન ઓઈલ યુટીટી સિઝન 6નો 31 મેથી પ્રારંભ થશેઃ બ્લોકબસ્ટર ડબલ હેડરમાં પ્રથમ દિવસે ગોવાનો સામનો અમદાવાદથી અને દિલ્હીનો સામનો જયપુરથી થશે

truthofbharat