Truth of Bharat
અવેરનેસએજ્યુકેશનગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

ભારત થાલિર વીક – શિક્ષણ અને જાગૃતિ પહેલ દ્વારા વિદ્યાર્થીઓને પ્રેરણા

અમદાવાદ, ગુજરાત | ૨૦ માર્ચ ૨૦૨૬ — યંગ ઇન્ડિયન્સ (Yi) અને કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી (CII) ના સહયોગથી ભારત થાલિર વીક સફળતાપૂર્વક યોજાયો, જેમાં વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓને શૈક્ષણિક અને જાગૃતિ પહેલોની શ્રેણી દ્વારા જોડવામાં આવ્યા.

9 થી 15 ફેબ્રુઆરી દરમિયાન યોજાયેલ આ સપ્તાહ દરમિયાન અનેક શાળાઓમાં કુલ 51 સત્રો યોજાયા, જેમાં ઇન્ટરએક્ટિવ વર્કશોપ્સ અને પ્રાયોગિક શીખણ પ્રવૃત્તિઓ દ્વારા 3,365 વિદ્યાર્થીઓ પર સકારાત્મક અસર પડી.

આ સપ્તાહ દરમિયાન વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું, જેમાં પ્રતિષ્ઠિત આઇસક્રીમ ઉત્પાદન એકમની ફેક્ટરી મુલાકાતનો સમાવેશ થાય છે, જેનાથી વિદ્યાર્થીઓને ઉદ્યોગ અને ઉદ્યોગસાહસિકતા વિશે જાણકારી મળી. તે ઉપરાંત લિપ્પન આર્ટ, નાણાકીય સાક્ષરતા, ઇનોવેશન ડિઝાઇન થિંકિંગ વર્કશોપ અને હેલ્થ અવેરનેસ વિષયક વર્કશોપ્સ વિવિધ ભાગીદાર શાળાઓમાં યોજાયા, જેનાથી સૈંકડો વિદ્યાર્થીઓને લાભ મળ્યો.

માસિક સ્રાવ દરમિયાન સ્વચ્છતા, પોષણ, ડિજિટલ સલામતી, માર્ગ સલામતી અને બાળ સુરક્ષા અંગે જાગૃતિ સત્રો પણ યોજવામાં આવ્યા હતા, જેનો હજારો યુવા શીખનારાઓ પર સકારાત્મક પ્રભાવ પડ્યો હતો.

આ ઉપરાંત, અનેક શાળાઓ સાથે એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા, જે સતત શૈક્ષણિક પહેલ દ્વારા જવાબદાર, જાગૃત અને સશક્ત વિદ્યાર્થીઓને ઉછેરવા માટે સહયોગને મજબૂત બનાવે છે.

ભારત થાલિર વીકએ અનુભવાત્મક શિક્ષણ અને સમુદાય સહભાગિતાની મહત્વતા પર પ્રકાશ પાડ્યો, જે યુવા મનોના ભવિષ્યના ઘડતરમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

Related posts

અપચાથી લઈને નિદાન સુધી: પિત્તાશયના કેન્સરની શંકા ક્યારે કરવી?

truthofbharat

રોટરીસ્કાઈલાઈન દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે ‘તેજસ્વિની’ નામે માત્ર મહિલાઓ માટેના રોટરીક્લબનો શુભારંભ

truthofbharat

અસ્થિર બજારમાં એસઆઈપી બંધ કરવાથી લોંગ ટર્મ વેલ્થ ક્રિએશન પર ગંભીર અસર પડી શકે છે

truthofbharat

Leave a Comment