Truth of Bharat
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

આચાર્ય શ્રી સુનિલ સાગર જી મહારાજના સાનિધ્યમાં ગુજરાત યુનિવર્સિટીના પ્રાકૃત પરિસર ખાતે ‘આધ્યાત્મિક વર્ષાયોગ 2025’ શિબિર

ગુજરાત, અમદાવાદ | ૨૮ ઓગસ્ટ ૨૦૨૫: આધ્યાત્મિક વર્ષાયોગ 2025 ગુજરાત યુનિવર્સિટીના પ્રાકૃત પરિસરમાં દશલક્ષણ ધર્મ (પર્યુષણ) દરમિયાન એક વિશાળ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઐતિહાસિક શિબિરમાં ભારત દેશભરના આશરે 10,000 શિબિરાર્થીઓ ભાગ લેશે.

આચાર્ય શ્રી સુનિલ સાગરજી મહારાજ સસંઘના પવિત્ર સાનિધ્યમાં યોજાનાર આ અભૂતપૂર્વ શિબિર અમદાવાદના ઈતિહાસમાં પ્રથમવાર યોજાઈ રહી છે. 10 દિવસ સુધી ચાલનાર આ શિબિરમાં અભિષેક-પૂજન, આચાર્ય શ્રીના પ્રેરણાદાયી પ્રવચનો, હજારો ભક્તો દ્વારા ગુરુપૂજન તથા સાંજે શંકા-સમાધાન અને સાંસ્કૃતિક કાર્યક્રમ જેવા અનેક કાર્યક્રમો યોજાશે.

દશલક્ષણ પર્વ દરમિયાન આચાર્ય શ્રી દ્વારા સત્યા, અહિંસા, અપરિગ્રહ જેવા સિદ્ધાંતો પર રોજિંદા પ્રવચનો યોજાશે, જેનો સીધો પ્રસારણ જિનવાણી ચેનલ તથા Sanmati Sunilam YouTube Channel પર કરવામાં આવશે. આચાર્ય શ્રીના પ્રભાવને કારણે સમગ્ર ગુજરાતમાં પ્રાકૃત ભાષા વિષે ચર્ચા-વિચારણા શરૂ થઈ છે.

આ ચાતુર્માસ દરમ્યાન ગુજરાત રાજ્યના મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત જી, રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગૃહ મંત્રી શ્રી હર્ષજી સંઘવી, પ્રસિદ્ધ કવિ કુમાર વિશ્વાસ, કેન્દ્ર સરકારના મંત્રી શ્રી કિશોરભાઈ મકવાણા, શ્રી જગદીશભાઈ પંચાલ તથા અનેક મહાનુભાવો આચાર્ય શ્રીના આશીર્વાદ મેળવવા પધાર્યા છે. આ ઉપરાંત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના 300થી વધુ સ્વયંસેવકો દ્વારા પણ આચાર્ય શ્રી સમક્ષ પોશ્ટ વંદન કરી આશીર્વાદ મેળવવામાં આવ્યા છે.

આગામી કાર્યક્રમમાં પ્રધાનમંત્રી માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજી પણ પધારશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે અને સમગ્ર સમિતિ આ માટે પ્રયત્નશીલ છે.

Related posts

હોસ્પિટાલિટી ક્ષેત્રમાં હરણફાળઃ વેન્ટિવ હોસ્પિટાલિટી અને મેરિયટ ઇન્ટરનેશનલે 1,548 રૂમ ધરાવતી સાત હોટેલ સાથે વિસ્તરણની જાહેરાત કરી

truthofbharat

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ આધ્યાત્મિક વર્ષાયોગ 2025 મા સહભાગી થયા

truthofbharat

ઇલેક્ટ્રોનિકા ઇન્ડિયા અને પ્રોડક્ટ્રોનિકા ઇન્ડિયાએ ભારત ઇલેક્ટ્રોનિક્સ યાત્રા શરૂ કરી

truthofbharat